વસ્ત્રાલમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ લાઈન નાખવામાં આવશે

AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ, પૂર્વઝોન વસ્ત્રાલ વોર્ડ માં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અંદાજે ૮ કિલોમીટર લંબાઈના નવા નેટવર્ક નાખવામાં આવશે. જેના માટે અંદાજે રૂ ૯.૭૦ કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત સરદારનગર, નરોડા સહિતના વોર્ડમાં સીસીટીવી થી ડ્રેનેજ સફાઈનું કામ કરવામા આવશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ પૂર્વઝોન ડ્રેનેજ પ્રોજેકટ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્ત્રાલ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ સ્ટ્રોમ વોટર ડ્રેઈન નાંખવાના પેકેજ-૪ ખારીકટ કેનાલ એકઝીસ્ટીંગ પાઈપ, ટીપી.૧૦૫, ૧૦૬,૧૧૩, ૧૧૪ અને ઓઢવ ટી.પી.૧૧૨,૧૦૪)કામ પૈકી વસ્ત્રાલ વોર્ડમાં ખારીકટ કેનાલ થી વસ્ત્રાલ આર.ટી.ઓ. થઈ ને
એસ.પી.રીંગ રોડ સુધીના રસ્તા ઉપર તેમજ રામોલ-હાથીજણ વિસ્તારમાં આવતા શારદાબા સ્કુલ તરફના વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદી ઋતુ દરમ્યાન ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવા માટે ૮૦૦૦,૦૦ મીટરનુ નવુ નેટવર્ક નાખવાનુ આયોજન કરવામાં આવેલ છે. તેમજ તેની આજુ બાજુના વિસ્તાર માંથી. અન્ય ૩૦૦૦.૦૦ મીટર લાઈન નાખી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે પ્રકારનુ આયોજન કરવામાં આવેલ છે.
આ પેકેજમાં આર.ટી.ઓ.રોડ ઉપર આવેલ આજુ બાજુના વિસ્તારમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકશે. તેમજ સદરહુ પેકેજ અંતર્ગત વસ્ત્રાલ વોર્ડમાં નિચાણવાળા ભાગમાં આવેલ સોસાયટીઓની સામેના ટી.પી. રોડ ઉપર સ્ટોર્મ વોટર લાઈનનુ નેટવર્ક નાખવાનુ, તેમજ વસ્ત્રાલ વોર્ડમાં આર.ટી.ઓ.રોડ ઉપર નવો ડેવલોપ થયેલ વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇન નાખવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તર ઝોનમાં સરદારનગર, નરોડા, સૈજપુર અને કુબેરનગર વિસ્તારમાં વર્ષો જુની ડ્રેનેજની લાઇનો છે. આ વિસ્તાર ગીચ રહેણાક મકાન તથા વેપાર વાણિજય સાથે મિશ્ર વિસ્તાર છે. ગીચતા ના કારણે તથા વપરાશને ધ્યાને રાખી હયાત નેટવર્ક બદલવા માટે સાંકડાં રસ્તાઓમાં કામ કરવામાં અગવડ પડે તેના વિકલ્પ રૂપે હયાત લાઈનો જો સમયાંતરે સાફ રાખવામાં આવે
તો વિસ્તારના લોકોના આરોગ્ય જળવાઇ રહે તથા ગટર ચોકઅપની વારંવાર આવતી ફરીયાદોના નિરાકરણ માટે ડીશીલ્ટીગની કામગીરી કરાવી સી.સી.ટીવી. પધ્ધતીથી ચેક કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે.આ કામ કરાવવાથી વિસ્તારમાં ગટર ઊભરાવવાના પ્રશ્નો ઓછા થશે તથા પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જવાની સમસ્યા પણ ઘટશે.