બીમારને લઈ દવાખાને આવેલી ઈકો ગાડી નડિયાદમાં આ જગ્યાએ ફસાઈ

એનઇએસ સ્કૂલથી લઈને ખોડીયાર ગરનાળા તરફ ગટરના કામ બાદ માટીકામ યોગ્ય ના થયું હોવાની બૂમ
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં એન ઇ એસ સ્કૂલ થી લઈને ખોડીયાર ગરનાળા તરફ જવાના માર્ગ પર ગટર લાઈન નાખવામાં આવી છે પરંતુ આ ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય માટીનું પુરાણ ના તથા મોટા ભુવા પડી ગયા છે જેમાં આજે એક પરિવાર ઇક્કો ગાડી લઈને દવાખાને આવ્યો હતું
તેમની ઇકો ગાડી ફસાઈ ગઈ હતી જેના કારણે પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત આ રસ્તા પરથી રોજની અવરજવર કરતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે મહાનગરપાલિકા તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
નડિયાદમાં એનઇએસ સ્કૂલ થી લઈને ખોડીયાર ગરનાળા સુધી ગટર લાઈન નું કામ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર પાસે કરાવ્યું છે હાલમાં ગટર લાઈન નાખી દેવામાં આવી છે પરંતુ તેની ઉપર જોઈએ તેટલા જથ્થામાં તેમજ વ્યવસ્થિત રીતે માટીનું પુરાણ ના થયું હોવાની બૂમો ઉઠવા પામી છે જેના કારણે વરસાદમાં મોટા ભુવા પડી રહ્યા છે
આજે કાણીયલ ગામેથી ભરતભાઈ બારોટ નામ ના વ્યક્તિ ઈક્કો ગાડી લઈને પોતાના પરિવાર સાથે આ રોડ પર આવેલી એક હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્યા હતા. કાયમ આ રસ્તે આવતા હોય તેમને ખ્યાલ ન હતો કે આ જગ્યા પર માટી કામ બરાબર થયું નથી એટલે તેમણે પોતાની ગાડી આ રસ્તે લઈ જતા ગાડીના વીલ ગટર લાઈના ખોદકામમાં માટી બરાબર પુરાણ ના થયું હોય તેમાં ફસાઈ ગયા હતા જેથી પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું
જો કે દવાખાને જવાનો જરૂરી હોય તેમાંથી ઉતરીને પરિવારના લોકો કાદવ માં રહી દવાખાને પહોંચ્યા હતા તો બીજી બાજુ આજુબાજુના લોકોએ આ ફસાયેલી ગાડીને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો પરંતુ નીકળી ના હતી ત્યારબાદ મહાનગરપાલિકાનું ટ્રેક્ટર આવતા ટ્રેક્ટરની મદદથી આ ગાડીને બહાર કાઢવામાં આવી હતી.
ગટર લાઈનું કામ કર્યા બાદ યોગ્ય રીતે માટીનું પુરાણ ના કરવામાં આવતા હાલમાં આ પરિસ્થિતિ સર્જન થયું છે જેના કારણે આ રોડ પરથી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ બાબતે મહાનગરપાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રજા ની માંગ છે.