ઝઘડિયામાંથી પસાર થતી બ્રોડગેજ રેલ્વેના ગરનાળાઓ માથાનાં દુઃખાવા સમાન બન્યા

પ્રતિકાત્મક
સામાન્ય વરસાદ પડે તો પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ઘણા ગળનાળા માંથી થતો નથી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી અને અંકલેશ્વર થી આવતી અને રાજપીપળા સુધી જતી નેરોગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવાનું કામ આશરે ૧૨ વર્ષ પહેલા શરૂ થયું હતું.
રેલ્વે વિભાગ દ્વારા જ્યારે પણ નેરોગેજ માંથી બ્રોડગેજનું રૂપાંતરિત કરવાની યોજના બનાવી ત્યારે જ્યાં પહેલા ફાટક હતી.ત્યાં આડેધડ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવ્યા વગર અને વરસાદી પાણી કઈ તરફથી આવશે અને કઈ તરફ થશે તેનું ચિંતન કર્યા વગર આડેધડ ફાટકોના સ્થાને અંડર પાસ એટલે કે ગરનાળા બનાવી દીધા!
અંકલેશ્વરથી રાજપીપળા સુધીમાં એક પણ ગળનાળુ એવું નથી જ્યાં પાણીનો ભરાવો નહીં થતો હોય! આ પૈકીના કેટલાક ગળનાળાઓમાં તો વરસાદ પડે તો ઘૂંટણ સમા કે તેથી વધુ પાણી યોગ્ય નિકાલ નહીં હોવાના કારણે ભરાઈ રહેતા હોય છે.
જેથી સામાન્ય જનતા ને રેલવે દ્વારા થોપી બેસાડવામાં આવેલા ગળનાળાઓ માથાના દુખાવા સમાન બન્યા છે. ઝઘડિયા જીઆઈડીસીને જોડતા ખરચી પાસેના આ રોડ પર રેલવે દ્વારા અંદર પાસ એટલે કે ગળનાળુ બનાવ્યું છે.આજરોજ વહેલી સવારે આ ગળનાળામાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો હતો.
ઝઘડિયા જીઆઈડીસીમાં કંપની કર્મચારીઓને લઈને જતી એક મીની લક્ઝરીના ચાલકેના છૂટકે સમયસર કંપની પર પહોંચવા માટે આ ઘૂંટણ સમા પાણીમાં પોતાનું વાહન ઉતારી ત્યાંથી પસાર થવું પડ્યું હતું.જો કે સદ્દનસીબે કોઈ અઘટીત ઘટના બને અને વાહન પલ્ટી થાય તો તેની જવાબદારી કોની?અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં રેલ્વે દ્વારા જે અંડર પાસ બનાવવામાં આવ્યા છે
તેના સીસી રોડ પણ એટલી હદે ખરાબ થઈ ગયા છે કે વાહનચાલકોને વાહન ચલાવવા મુશ્કેલી પડી રહી છે,આટલા વર્ષોમાં કેટલાક ગામડાઓના સીસી રોડનું એક પણ વખત મરામત કામ રેલ્વે કરવામાં આવ્યું નથી! જે કામો શરૂ કરવામાં આવે છે તે રેલ્વે વિભાગ તથા તેના ઇજારાદાર દ્વારા અધુરા મૂકીને વર્ષો સુધી કરવામાં આવતા નથી,
જેથી સ્થાનિકોની સમસ્યા છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી રેલવે વિભાગના પાપે યથાવત રહેવા પામી છે.રેલ્વે વિભાગ દ્વારા આ વરસાદી પાણીના યોગ્ય નિકાલ થાય અને સ્થાનિકોને પડતી હાડમારીનું નિરાકરણની આવે તેમ સ્થાનિકો? ઈચ્છી રહ્યા છે.