કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત

બાલાસોર, ઓડિશાના બાલાસોરમાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજની ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીનું મંગળવારે એઆઈઆઈએમએસ ભુવનેશ્વરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીનીએ આ મહિનાની શરૂઆતમાં તેના એચઓડી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
કોલેજ વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી ન કરવાથી હતાશ થઈને વિદ્યાર્થિનીએ કેમ્પસમાં પોતાને આગ લગાવી દીધી હતી, જેમાં તે ૯૦ ટકા દાઝી ગઈ હતી. તેને પહેલા બાલાસોર જિલ્લા હેડક્વાર્ટર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર બનતા ૧૨ જુલાઈના રોજ તેને એઆઈઆઈએમએસ ભુવનેશ્વર રીફર કરવામાં આવી હતી.
એઆઈઆઈએમએસ ભુવનેશ્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેને બર્ન્સ સેન્ટર આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. દર્દીને આઈવી ફ્લૂઈડ, આઈવી એન્ટિબાયોટિક્સ, ટ્યુબ દાખલ કરીને ભાનમાં લવાઈ હતી અને મિકેનિકલ વેન્ટિલેશન પર મૂકવામાં આવી હતી.
બર્ન્સ આઈસીયુમાં કિડની રિપ્લેસમેન્ટ થેરાપી સહિત તમામ શક્ય તબીબી પ્રયાસો છતાં તેને બચાવી ન શકાઈ. ૧૪ જુલાઈના રોજ રાત્રે ૧૧ઃ૪૬ વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને તેના પરિવારને ખાતરી આપી કે આ કેસમાં તમામ દોષિતોને કાયદા મુજબ કડક સજા મળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યાે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે એઆઈઆઈએમએસ ભુવનેશ્વર પહોંચ્યા હતા અને અહીં દાખલ વિદ્યાર્થીની સ્થિતિ જાણવા માટે આવ્યા હતા.
જ્યારે મૃત વિદ્યાર્થીના મૃતદેહને એઆઈઆઈએમએસ પોસ્ટમોર્ટમ સેન્ટર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે બીજુ જનતા દળના કાર્યકરોએ ન્યાયની માંગણી સાથે વિરોધ કર્યાે.૨૦ વર્ષીય વિદ્યાર્થીએ તેની કોલેજના એચઓડી (વિભાગ વડા) દ્વારા લાંબા સમય સુધી જાતીય સતામણીનો સામનો કર્યા બાદ પોતાને આગ લગાવી દીધી હતી.
કોલેજ વહીવટીતંત્રને ઔપચારિક ફરિયાદ નોંધાવવા અને પ્રિન્સિપાલ પાસેથી મદદ માંગવા છતાં તેની અરજીઓને અવગણવામાં આવી, જેના કારણે તે હતાશ થઈ અને તેણે આ ભયાનક પગલું ભર્યું.SS1MS