Western Times News

Gujarati News

વિશ્વની તમામ ભયાનક સમસ્યાઓ અને સંઘર્ષોનું અસરકારક સમાધાન વેદોમાં છે: રાજ્યપાલ 

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે આર્ય પ્રતિનિધિસભા જમ્મુ-કાશ્મીર દ્વારા જમ્મુમાં વિશેષ સમારોહનું આયોજન

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કેઆજે વિશ્વ આતંકવાદસંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છેઆખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની આ તમામ ભયાનક સમસ્યાઓનો અસરકારક ઉકેલ વેદોમાં છે.

જમ્મુની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના બાબા જીત્તો ઓડિટોરિયમમાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરની આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં બોલતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેઆપણા બધા માટે ગર્વની વાત છે કેછેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં આર્ય સમાજ સંબંધિત કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુકેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહસંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમો આર્ય પ્રતિનિધિ સભાઓ અને સર્વદેશી પ્રતિનિધિ સભાઓ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છેજે વૈદિક માર્ગને અનુસરનારાઓમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યા છે.

તેમણે કહ્યું કેજ્યારે સ્વામી દયાનંદ સરસ્વતીજીનો જન્મ થયો ત્યારે દેશની વસ્તી લગભગ 33 કરોડ હતી. તે સમયે તેમણે એકલા હાથે રૂઢિચુસ્તતાઅંધશ્રદ્ધાઆડંબર અને પાખંડ સામે ચળવળ શરૂ કરી હતી. તે સમયે વેદ પર ધૂળ જામેલી હતીજેને સ્વામી દયાનંદજીએ દૂર કરી અને માનવતાને ફરીથી વેદોનો પરિચય કરાવ્યો. તેમના કાર્યના પરિણામેગુરુદત્ત વિદ્યાર્થીસ્વામી શ્રદ્ધાનંદપંડિત લેખરામ જેવા તેજસ્વી વૈચારિક યોદ્ધાઓની નવી પેઢી પેદા થઈ હતી.

રાજ્યપાલશ્રીએ કહ્યું કેઆજે દુનિયામાં એવી વિચારસરણી વધી રહી છે કે ફક્ત આપણો અભિપ્રાય જ સાચો છેબાકીના બધા ખોટા છે. આ સંકુચિત માનસિકતા વૈશ્વિક સંઘર્ષોનું મૂળ બની ગઈ છે.  વેદ કોઈ ચોક્કસ લોકો માટે નહીંપરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે અને આ વેદોનો પરિચય કરાવનાર મહાપુરુષ મહર્ષિ દયાનંદ હતા.

રાજ્યપાલશ્રીએ ચિંતા વ્યક્ત કરી કેઆજે વેદોનું જ્ઞાન છેપરંતુ આપણે તેને આપણી આસપાસ અને દુનિયામાં ફેલાવી શકતા નથી. જો આ જ્ઞાન આપણી સાથે સમાપ્ત થઈ જશેતો તે આવનારી પેઢીઓ સુધી કેવી રીતે પહોંચશેઆ જ્ઞાન ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તેને વહેંચવામાં આવે.

રાજ્યપાલશ્રીએ તેમના સંબોધનની શરૂઆત પ્રખ્યાત વૈદિક મંત્ર – “ઓમ… અસતો મા સદ્ગમયતમસો મા જ્યોતિર્ગમયમૃત્યુયોર્મા અમૃતમ્ ગમય” – થી કરી અને કહ્યું કેઆ વૈદિક સંદેશ આજના મુશ્કેલ સમયમાં પણ સમગ્ર માનવતા માટે ખૂબ જ સુસંગત છે.

તેમણે કહ્યું કેવર્ષ ૧૯૦૦ થી સ્વતંત્રતા સુધીનો સમયગાળો આર્ય સમાજ માટે સુવર્ણ યુગ હતો. ઉત્તર ભારતમાં વૈદિક વિચારધારાનો ફેલાવો એટલો વ્યાપક હતો કે ભાગ્યે જ કોઈ ઘર તેનાથી અળગું રહ્યું. સ્વતંત્રતા સંગ્રામના તમામ મુખ્ય સેનાનીઓ કોઈને કોઈ રીતે સ્વામી દયાનંદ અને આર્ય સમાજથી પ્રેરિત હતા. સ્વતંત્રતા પછી પણદેશના કલ્યાણ માટે કામ કરતા સમાજ સુધારકો પર આર્ય સમાજનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાતો હતો.

તેમણે દુઃખ વ્યક્ત કર્યું કેસમાજમાં અંધશ્રદ્ધાકુરિવાજોઅવૈજ્ઞાનિક માન્યતાઓ અને પાખંડ ફરીથી માથું ઉંચુ કરી રહ્યા છે. આવા સમયેઆપણી જવાબદારી અનેકગણી વધી જાય છે.

રાજ્યપાલશ્રીએ મહાત્મા હંસરાજલાલા લજપત રાય અને ડી.એ.વી. સંસ્થાઓ જેવા સમાજ સુધારકોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કેતેઓએ નવી પેઢીને શિક્ષિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. રાજ્યપાલશ્રીએ સ્વામી શ્રદ્ધાનંદની પ્રેરણાદાયી વાર્તા પણ સંભળાવી હતીજેમણે સત્યાર્થ પ્રકાશ વાંચ્યા પછી વૈદિક ગુરુકુળોની પુનઃસ્થાપનાનું કાર્ય હાથ ધર્યું હતું.

તેમણે જણાવ્યું કેસ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે પ્રકૃતિના સાનિધ્યમાં ગુરુકુળ કાંગડીની સ્થાપના કરી હતીપરંતુ તે સમયે કોઈ પોતાના બાળકોને ત્યાં મોકલવાની હિંમત કરતું નહોતું. પછી તેમણે પોતાના પુત્રોને જ પોતાના શિષ્યો બનાવીને ગુરુકુળ શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કેસ્વામી દયાનંદે પોતાના જીવનમાં અપમાનટીકા બધું જ સહન કર્યુંપરંતુ ક્યારેય પોતાના ધ્યેયથી ભટક્યા નહીં અને આર્ય સમાજની સ્થાપના કરી. આજે આર્ય સમાજના અનુયાયીઓએ વેદોના માર્ગને આગળ વધારવા અને સમાજને વૈદિક પ્રકાશથી પ્રકાશિત કરવો જરૂરી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેઆર્ય વીર દળ અને આર્ય વીરાંગના દળ જેવા સંગઠનો જ આર્ય સમાજના પુનરુત્થાનનો માર્ગ મોકળો કરી શકે છે.

આ પ્રસંગે શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીજમ્મુના વૈજ્ઞાનિક ડૉ. વિવેક મનોહર આર્ય ને પ્રાકૃતિક કૃષિજમીન વિજ્ઞાનઆબોહવા પરિવર્તન અને કુદરતી સંસાધન વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ આર્ય પ્રતિનિધિ સભાજમ્મુ અને કાશ્મીરના પ્રમુખ નરેન્દ્ર ત્રેહનના નેતૃત્વમાં આયોજિત કરાયો હતો. આર્ય પ્રતિનિધિ સભાદિલ્હીના મહામંત્રી વિનય આર્યજમ્મુ અને કાશ્મીરના મહામંત્રી રાજીવ સેઠીખજાનચી યોગેશ ગુપ્તારણવિજય શાસ્ત્રીમુકેશ શાસ્ત્રીચૈનલાલ શાસ્ત્રીડૉ. સત્યપ્રિયાડૉ. પ્રિયંકાકુલદીપ ગુપ્તા અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અરુણ કુમાર ગુપ્તાની પણ સક્રિય ભાગીદારી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.