Western Times News

Gujarati News

ઝારખંડમાં ભીષણ અકસ્માતઃ કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ

દેવધર, આજે મંગળવારની વહેલી સવારે ઝારખંડના દેવઘરમાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાવડ યાત્રીઓને લઇને જઈ રહેલી બસ ટ્રક વચ્ચે અથડાઈ હતી.અહેવાલો મુજબ આ ઘટનામાં ૬ લોકોના મોત થયા છે અને ૩૦ ઘાયલ થયા છે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ આપેલી માહિતી મુજબ આ ઘટનામાં ૧૮ કાવડ યાત્રીઓના મોત થયા છે.અહેવાલ મુજબ આ અકસ્માત આજે સવારે ૭ વાગ્યાના અરસામાં ઝારખંડના દેવઘર-બાસુકીનાથ હાઈવે પર જમુનિયા ચોક પાસે બન્યો હતો.

બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, દ્રશ્યો જોઈને અંદાજ આવી શકે છે કે અકસ્માત કેટલો ભયંકર હતો.ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે, સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરુ કરી છે.અહેવાલ મુજબ ઈજાગ્રસ્ત યાત્રાળુઓને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ કાવડિયા બિહારના બેતિયા અને ગયાના રહેવાસી છે.

દેવધરથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, ‘મારા લોકસભા વિસ્તાર દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત થતાં ૧૮ શ્રદ્ધાળુઓના મોત થયા છે. બાબા વૈદ્યનાથજી તેમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.