શું ફરક છે ભારતની વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં

બિહારમાં નવી વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ સહિત ૪ નવી ટ્રેન આજથી શરૂ થશે
આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. દાનાપુરથી ચાલનારી ટ્રેન મંગળવારે છોડીને બાકીના તમામ દિવસો ચાલશે, જ્યારે ફોર્બિસગંજથી ચાલનારી ટ્રેન બુધવારે છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે
બિહાર, ચૂંટણી વર્ષમાં કેન્દ્ર સરકાર બિહાર પર મહેરબાન છે. રેલ કનેક્ટિવિટી અને યાત્રીઓની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં, બિહારથી ૧૭ સપ્ટેમ્બરથી ચાર નવી ટ્રેનો શરૂ થઈ રહી છે. તેમાં જોગબની-દાનાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ, સહરસા-ચેહરતા (અમૃતસર) વચ્ચેની અમૃત ભારત એક્સપ્રેસ, જોગબની-ઈરોડ અમૃત ભારત એક્સપ્રેસ અને કટિહાર-સિલીગુડી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
દાનાપુર અને જોગબની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. દાનાપુરથી ચાલનારી ટ્રેન મંગળવારે છોડીને બાકીના તમામ દિવસો ચાલશે, જ્યારે ફોર્બિસગંજથી ચાલનારી ટ્રેન બુધવારે છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે.
ટ્રેન નંબર ૨૬૩૦૨ – દાનાપુર-જોગબની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૭ સપ્ટેમ્બરથી દાનાપુરથી સાંજે ૫ઃ૧૦ વાગે ઉપડીને આ સ્ટેશન પર હાજીપુર – ૬ઃ૦૫ વાગે, મુઝફ્ફરપુર – ૬ઃ૫૦ વાગે, સમસ્તીપુર – ૭ઃ૪૩ વાગે, હસનપુર રોડ – ૮ઃ૨૩ વાગે, સલૌના – ૮ઃ૩૮ વાગે, ખગડિયા – ૯ઃ૦૦ વાગે, સહરસા – ૯ઃ૫૫ વાગે, દૌરમ મધેપુરા – ૧૦ઃ૨૩ વાગે,
બનમનખી – ૧૧ઃ૦૦ વાગે, પૂર્ણિયા – ૧૧ઃ૪૦ વાગે, અરરિયા કોર્ટ – રાત્રે ૧૨ઃ૧૮ વાગે, ફોર્બિસગંજ – ૧૨ઃ૪૮ વાગે, જોગબની – રાત્રે ૧ઃ૨૦ વાગે પહોંચશે.
આ ૮ કોચની વંદે ભારત ટ્રેન કુલ ૪૫૩ કિમીનું અંતર લગભગ ૮ કલાક ૧૦ મિનિટમાં પૂરુ કરશે. ટ્રેન નંબર ૨૬૩૦૧ – જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસ આ ટ્રેન ૧૮ સપ્ટેમ્બરથી જોગબનીથી બપોરે ૩ઃ૨૫ વાગ્યે નીકળશે અને સ્ટેશનો પર આ મુજબ રોકાશે જેમાં ફોર્બિસગંજ – ૩ઃ૩૫ વાગે, અરરિયા કોર્ટ – ૪ઃ૦૦ વાગે, પૂર્ણિયા – ૪ઃ૫૦ વાગે, બનમનખી – ૫ઃ૨૬ વાગે, દૌરમ મધેપુરા – ૫ઃ૫૩ વાગે, સહરસા – ૬ઃ૨૦ વાગે, ખગડિયા – ૭ઃ૧૩ વાગે, સલૌના – ૭ઃ૩૩ વાગે, હસનપુર રોડ – ૭ઃ૪૮ વાગે, સમસ્તીપુર – ૮ઃ૨૩ વાગે, મુઝફ્ફરપુર – ૯ઃ૦૦ વાગે, હાજીપુર – ૯ઃ૪૫ વાગે, દાનાપુર – રાત્રે ૧૧ઃ૩૦ વાગે પહોંચશે
અન્ય ટ્રેનો
જોગબની-ઇરોડ અમૃત ભારત એક્સપ્રેસ
સહરસા-છેહરટા અમૃત ભારત એક્સપ્રેસ
કટિહાર-સિલિગુડી એક્સપ્રેસ
હાલમાં બિહારમાંથી ૧૩ વંદે ભારત ટ્રેનો ચાલે છે. જોગબની-દાનાપુર ટ્રેન શરૂ થયા બાદ આ સંખ્યા ૧૪ થઈ જશે. ૮ અમૃત ભારત ટ્રેનો હાલ કાર્યરત છે.
જોગબની-ઇરોડ અને સહરસા-છેહરટા શરૂ થયા બાદ આ સંખ્યા ૧૦ થઈ જશે.
આ ઉપરાંત, જયનગર-પટના વચ્ચે ૧ નમો ભારત ટ્રેન પણ ચાલી રહી છે.