Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે

File

પીએમ ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘૮મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો આજથી પ્રારંભ કરશે

(એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ બપોરે ૧૨ વાગ્યે ધાર ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘૮મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે શિલાન્યાસ અને અન્ય અનેક પહેલોનો શુભારંભ પણ કરશે અને સભાને સંબોધન કરશે.

આરોગ્ય, પોષણ, તંદુરસ્તી અને સ્વસ્થ અને સશક્ત ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાન શરૂ કરશે.

આ અભિયાન ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી દેશભરના આયુષ્માન આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો અને અન્ય સરકારી આરોગ્ય સુવિધાઓ ખાતે યોજાશે. એક લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જે દેશમાં મહિલાઓ અને બાળકો માટે અત્યાર સુધીનો સૌથી મોટો આરોગ્ય સંપર્ક બનશે. દેશભરની તમામ સરકારી આરોગ્ય સુવિધાઓમાં દૈનિક આરોગ્ય શિબિરો યોજાશે.

આ રાષ્ટ્રવ્યાપી સઘન અભિયાન સમુદાય સ્તરે મહિલા-કેન્દ્રિત નિવારક, પ્રોત્સાહન આપતી અને ઉપચારાત્મક આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. તે બિન-ચેપી રોગો, એનિમિયા, ક્ષય રોગ અને સિકલ સેલ રોગ માટે સ્ક્રીનીંગ, વહેલા નિદાન અને સારવાર જોડાણોને મજબૂત બનાવશે,

જ્યારે પ્રસૂતિ પહેલાની સંભાળ, રસીકરણ, પોષણ, માસિક સ્વચ્છતા, જીવનશૈલી અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા માતા, બાળક અને કિશોરોના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપશે. મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો, કેન્દ્ર સરકારની સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલો દ્વારા સ્ત્રીરોગ, બાળરોગ, આંખ, ઇએનટી, દંત, ત્વચારોગ અને મનોચિકિત્સા સહિતની વિશેષ સેવાઓને એકત્ર કરવામાં આવશે.

અભિયાન હેઠળ દેશવ્યાપી રક્તદાન અભિયાન પણ આયોજિત કરવામાં આવશે. દાતાઓની નોંધણી ઇ-રક્તકોશ પોર્ટલ પર કરવામાં આવશે અને સ્અર્ય્v દ્વારા પ્રતિજ્ઞા ઝુંબેશ ચલાવવામાં આવશે. લાભાર્થીઓની નોંધણી ઁસ્-ત્નછરૂ, આયુષ્માન વય વંદના અને છમ્ૐછ હેઠળ કરવામાં આવશે. કાર્ડ ચકાસણી અને ફરિયાદ નિવારણ માટે આરોગ્ય શિબિરોમાં હેલ્પડેસ્ક સ્થાપિત કરવામાં આવશે.

મહિલાઓ અને પરિવારો માટે સર્વાંગી આરોગ્ય અને સુખાકારી પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે યોગ સત્રો, આયુર્વેદ પરામર્શ અને અન્ય આયુષ સેવાઓનું આયોજન કરવામાં આવશે. આ ઝુંબેશ સમુદાયોને સ્વસ્થ જીવનશૈલી તરફ પણ પ્રેરિત કરશે જેમાં સ્થૂળતા નિવારણ, સુધારેલ પોષણ અને સ્વૈચ્છિક રક્તદાન પર ખાસ ભાર મૂકવામાં આવશે. નાગરિકોને સમર્પિત પ્લેટફોર્મ પર નિક્ષય મિત્ર તરીકે નોંધણી કરાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.