Western Times News

Gujarati News

ભારતમાં 66% સિવિલ કેસો મિલકત વિવાદ સંબંધિત છે

AI Image

🔗 બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉલ્લેખ:

  • સુપ્રીમ કોર્ટની ભલામણ: મિલકત નોંધણી માટે બ્લોકચેઇન ટેકનોલોજી અપનાવવી જોઈએ.
  • લાભો:
    • જમીન રેકોર્ડ, નકશા, સર્વે ડેટા અને મહેસૂલ માહિતી એકીકૃત થશે.
    • દરેક વ્યવહારનો ડિજિટલ અને સમય-સ્ટેમ્પ્ડ રેકોર્ડ રહેશે — જે બદલાઈ શકતો નથી.
    • છેતરપિંડી અટકશે અને પારદર્શક નોંધણી વ્યવસ્થા ઉભી થશે.

નવી દિલ્‍હી, એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે ‘ભારતમાં મિલકત ખરીદવી અને વેચવી એ ટ્રોમા આપનારો અનુભવ બની ગયો છે. જમીન ખરીદવી આજે એક મુશ્‍કેલ અનુભવ બની ગયો છે.

સિસ્‍ટમ એટલી જટિલ છે કે સામાન્‍ય નાગરિકો એ પ્રક્રિયામાં માનસિક રીતે થાકી કે કંટાળી જાય છે.’ કોર્ટે સરકારને પારદર્શક નોંધણી સુનિヘતિ કરવા માટે બ્‍લોકચેઇન ટેક્‍નોલોજી અપનાવવાની સલાહ આપી હતી.

આ સંદર્ભમાં ન્‍યાયાધીશ પી. એસ. નરસિંહા અને જોયમલ્‍યા બાગચીની બેન્‍ચે જણાવ્‍યું હતું કે ‘ખોટા દસ્‍તાવેજો, જમીન કબજે કરવી, વિલંબિત ચકાસણી, વચેટિયાઓની ભૂમિકા અને સરકારના રેઢિયાળ કારભારને કારણે રિયલ એસ્‍ટેટ ક્ષેત્રને સામાન્‍ય નાગરિકો માટે ખાણ ક્ષેત્ર બનાવી દીધું છે.

ભારતમાં મિલકત ખરીદવી અને વેચવી એ સામાન્‍ય લોકો માટે માનસિક રીતે થાકી જવાનો અનુભવ બની ગયો છે. દેશની અદાલતોમાં પેન્‍ડિંગ રહેલા ૬૬ ટકા સિવિલ કેસોમાં મિલકતના વિવાદો સામેલ છે જે દર્શાવે છે કે જમીન અને મિલકત વ્‍યવસ્‍થાપન પ્રણાલી કેટલી હદે અવ્‍યવસ્‍થિત અને જટિલ બની ગઈ છે.

કોઈ પણ રાષ્ટ્રની સંસ્‍થાકીય પરિપક્‍વતા મિલકતની ખરીદી અને વેચાણ કેટલી પારદર્શક અને કાર્યક્ષમ છે એના પરથી માપવામાં આવે છે.’ કોર્ટે જણાવ્‍યું હતું કે ઓગણીસમી સદીના વસાહતી યુગના કાયદાઓ, હવે વર્તમાન ટેક્‍નોલોજિકલ યુગ સાથે સુસંગત નથી. કોર્ટે કાયદાપંચને આ કાયદાઓમાં વ્‍યાપક સુધારા માટે એક અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપ્‍યો હતો.

📌 મુખ્ય મુદ્દાઓ:

  • 66% સિવિલ કેસો મિલકત વિવાદ સંબંધિત છે, જે દર્શાવે છે કે જમીન વ્યવસ્થાપન પદ્ધતિ કેટલી અવ્યવસ્થિત છે.
  • ખોટા દસ્તાવેજો, જમીન કબજો, વિલંબિત ચકાસણી અને વચેટિયાઓ — આ બધું રિયલ એસ્ટેટ ક્ષેત્રને ભ્રષ્ટ અને અવિશ્વસનીય બનાવે છે.
  • રજિસ્ટ્રેશન = માલિકી નહીં: નોંધણી ફક્ત એન્ટ્રી છે, માલિકીનો પુરાવો નથી, જેના કારણે વિવાદો ઊભા થાય છે.
  • 30 વર્ષ જૂના દસ્તાવેજો શોધવાની ફરજ અને NEC મેળવવા માટે મહિનાઓ ઓફિસોમાં ધક્કા ખાવા પડે છે.

🧾 કાયદાકીય સુધારાની જરૂરિયાત:

  • ઓગણીસમી સદીના વસાહતી કાયદાઓ હવે અપ્રસ્તુત છે.
  • કાયદાપંચને આ કાયદાઓમાં સુધારાનો અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

🧠 વિચાર માટે મુદ્દો:

આ ચુકાદો માત્ર ન્યાયિક અવલોકન નથી — તે એક સંસ્થાકીય ચેતવણી છે કે જમીન વ્યવહારની અદક્ષતા નાગરિકો માટે નહીં, પણ સમગ્ર ન્યાયિક તંત્ર માટે પણ ભારરૂપ બની રહી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.