સાબરમતીથી દિલ્લી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે પશ્ચિમ રેલવે
આ સ્પેશ્યલ ટ્રેનનો મુખ્ય હેતુ મુસાફરોને વિશ્વસનીય, સુરક્ષિત અને સમયસર મુસાફરી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ફ્લાઇટ રદ્દ થવાની સ્થિતિમાં તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. ટ્રેનનું સંચાલન મુસાફરોની વાસ્તવિક માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, જેથી અમદાવાદ-દિલ્લી રૂટ પર મુસાફરી કરનાર લોકોને સુવિધા મળે.
પશ્ચિમ રેલવેની આ પહેલ તહેવારો તથા રજાકાલ દરમ્યાન મુસાફરીની વધતી માંગ પૂરી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સ્પેશ્યલ ટ્રેનના સંચાલનથી મુસાફરોને કિફાયતી દરે અનુકૂળ મુસાફરી વિકલ્પ ઉપલબ્ધ થશે તથા અહમદાબાદ અને દિલ્હી વચ્ચે સતત અને સરળ અવરજવર સુનિશ્ચિત થશે.
આ સ્પેશ્યલ ટ્રેનનો સમયપત્રક, આરક્ષણ વિગતો તથા અન્ય સંચાલન સંબંધિત માહિતી પશ્ચિમ રેલવે દ્વારા જલદી જ જાહેર કરવામાં આવશે.
