કેરળની ગૌશાળાના સંચાલક 40 લાખથી વધુની હેરાફેરીમાં ધરપકડ
સાયબર ક્રાઇમ તપાસ એજન્સીઓ પ્રમાણે કલ્યાણગિરી યુવાઓને પોતાની વાતમાં ફસાવી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો.
જૂનાગઢ, ગુજરાતના જૂનાગઢમાં સાયબર ફ્રોડના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલામાં એક સાધુની ધરપકડ કરી છે. કલ્યાણગિરી નામના આ સાધુને લઈને તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે તે ૪૦ લાખથી વધુની હેરાફેરીમાં સામેલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ અધિકારી રવિરાજ પરમારે જણાવ્યુ કે તપાસમાં સામે આવ્યું કે જે બેંક ખાતા દ્વારા આ રકમની હેરાફેરી કરવામાં આવી, તે ખાતા પર છેતરપિંડીની ૮ અલગ-અલગ ફરિયાદ નોંધાયેલી છે.
સાયબર ક્રાઇમ પોલીસે કલ્યાણગિરીના બેંક ખાતામાં થઈ રહેલા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના આધાર પર સાયબર ફ્રોડ નેટવર્કની તપાસ શરૂ કરી ચે. સાયબર ક્રાઇમ તપાસ એજન્સીઓ પ્રમાણે કલ્યાણગિરી યુવાઓને પોતાની વાતમાં ફસાવી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. આ ખાતાનો ઉપયોગ છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. બદલામાં યુવાઓને કમીશન આપવામાં આવતું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે કલ્યાણગિરીના તાપ દેશના અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા સાયબર ફ્રોડ નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે. કેરળ સ્થિત એક ગૌશાળાના સંચાલક કલ્યાણગિરીની છેલ્લા બે દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે આ દરમિયાન મહત્વના ખુલાસા થઈ શકે છે.
