Western Times News

Gujarati News

૧ ફેબ્રુઆરીથી ફાસ્ટટેગ યુઝર્સ માટે મોટી રાહત

(એજન્સી)નવી દિલ્હી, ટોલ પ્લાઝા પર કાર રોકાય છે, ફાસ્ટટેગ કાર પર લાગ્યું છે અને તેમાં પૈસા છે, છતાં મશીન બીપ કરે છે અને સામેથી અવાજ આવે છેઃ “તમારું કેવાયવી અપડેટ કરાવો.” તેની પાછળની લાંબી લાઇન લાગી ગઈ છે અને પ્રશ્ન ઊભો થાય છેઃ જ્યારે બધું બરાબર છે ત્યારે આ મુશ્કેલી શા માટે? હવે, નેશનલ હાઈવેએ આ મુશ્કેલીમાં ઘટાડો કર્યો છે.

નવા ફાસ્ટટેગ ધારકો માટેનો નિયમ જે લાખો ખાનગી વાહન ચાલકો માટે ચિંતાનું કારણ બની રહ્યો હતો, તેને દૂર કરવામાં આવ્યો છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬થી વાહનો હવે ટોલ પ્લાઝા પર મુક્તપણે મુસાફરી કરી શકશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવા ફાસ્ટટેગ જાહેર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે.

ખાનગી વાહનો માટે ફાસ્ટટેગ જાહેર કર્યા પછી જરૂરી ફરજિયાત કેવાયવી પ્રક્રિયાને સંપૂર્ણપણે દૂર કરશે. આનો સીધો ફાયદો ટોલ પ્લાઝા પર થતી વિક્ષેપોમાં ઘટાડો થશે, કાગળકામમાં ઘટાડો થશે અને ટોલ ચુકવણી પહેલા કરતાં ઘણી સરળ બનશે. આ નવો નિયમ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬થી અમલમાં આવશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અથવા તે પછી જાહેર કરાયેલા તમામ નવા ફાસ્ટટેગ માટે દ્ભરૂફની જરૂર રહેશે નહીં. સત્તામંડળે ફાસ્ટટેગ ધરાવતા નવા જાહેર કરાયેલા વાહનો માટે દ્ભરૂફ પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.