Western Times News

Gujarati News

જેલમાં કેદ રાજપાલ યાદવના ઇન્ટવ્યુનો એક વીડિયો વાયરલ

મુંબઈ, રાજપાલ યાદવે પોતાની અનેક કોમિક ભૂમિકાઓથી દર્શકોનું મનોરંજન કર્યું છે. આ અભિનેતા હાલમાં ચેક બાઉન્સ કેસને કારણે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

આ દરમિયાન, તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સમગ્ર મામલાની ચર્ચા કરતા જોવા મળે છે. વીડિયોમાં, તેમણે ફિલ્મ બનાવવા માટે પૈસા લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યાે છે અને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

લલ્લાન્ટોપ સાથેના એક ઇન્ટરવ્યુમાં, રાજપાલ યાદવને પૂછવામાં આવ્યું કે, શું તેમણે ફિલ્મ બનાવવા માટે ઉદ્યોગપતિ માધવ ગોપાલ અગ્રવાલ પાસેથી પાંચ કરોડ રૂપિયા લીધા હતા? આના જવાબમાં રાજપાલ યાદવે જવાબ આપ્યો, “મેં કોઈ પૈસા લીધા નથી; તેમણે પોતે ફાઇનાન્સર તરીકે રોકાણ કર્યું હતું. તેઓ તેમના પૌત્રને હીરો બનાવવા માંગતા હતા.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ‘અતા પતા લાપતા’ ના દિગ્દર્શક હતા, ત્યારે રાજપાલ યાદવે આગળ કહ્યું, “હું ‘અતા પતા લાપતા’ નો દિગ્દર્શક નહોતો, છું અને ક્યારેય નહીં બનીશ.

હું એક અભિનેતા છું. ક્યારેક, જ્યારે તમારે ૧૦૦ મેચ રમવાની હોય છે, ત્યારે એક ક્રિકેટર ૯૫ મેચ રમે છે અને ક્યારેક ફૂટબોલની પાંચ મેચ રમી નાખે, આ અમારા માટે એક ક્રિએટટિવ એક્સપરિમેન્ટ હતું.”રાજપાલ યાદવે આગળ કહ્યું, “છેલ્લા ૧૦ વર્ષમાં આપણે કેટલું બધું નુકસાન સહન કરવું પડ્યું છે, પણ તમે ઘણી બધી વસ્તુઓ છીનવી લેવાનો પ્રયાસ કરી શકો છો પણ ભગવાને બનાવેલ હાસ્ય કોણ છીનવી શકે છે.”જ્યારે રાજપાલ યાદવને આ સમગ્ર કાનૂની કેસ વિશે વધુ પૂછવામાં આવ્યું, ત્યારે અભિનેતાએ કહ્યું, “આ કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. કોઈ બદનામ કરવાનો પ્રયાસ કરે કે આપણી છબી ખરાબ કરે છે તેનાથી હું નિરાશ નથી થતો.

હું કોર્ટનો આભાર માનું છું, કારણ કે જો કોર્ટ ન હોત, તો તેઓ મને ફાંસી પર લટકાવી દેત. કોર્ટે મને બચાવ્યો, કારણ કે કોઈ પણ કોર્ટમાં એક્ટિહ ન કરી શકે. હા, ક્યારેક એવું બને છે કે, કોઈની પાસે ૫૦ પાનાના પુરાવા હોય છે, જ્યારે બીજા કોઈ પાસે ફક્ત ફિલ્મ “જંગ” જેવો સંવાદ હોય છે, “જજ સાહેબ, જો જેની પાસે પુરાવા નથી તે નિર્દાેષ નથી.”રાજપાલ યાદવ આગળ કહે છે, “હું ફક્ત એ નિર્દેશ કરવા માંગુ છું કે ચિત્ર આ બધાથી ખૂબ જ અલગ છે.

“અમારો મુદ્દો સમજવા બદલ હું કોર્ટનો ફરીથી આભાર માનવા માંગુ છું.”નોંધનીય છે કે રાજપાલ યાદવ પર ૨૦૧૨ માં આવેલી ફિલ્મ “અતા પતા લપતા” બનાવવા માટે ૫ કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ૧૧ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે ફક્ત ૩.૪ મિલિયનની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રાજપાલ, અસરાની, ઓમ પુરી, આશુતોષ રાણા અને મનોજ જોશી જેવા કલાકારો હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.