પ્રવાસીઓની પીડા આખા ભારતે જોઈ પરંતુ ભાજપે નહિઃ સોનિયા ગાંધી

નવીદિલ્હી – દેશવ્યાપી લાકડાઉન લાગુ થયા બાદથી જ દેશભરમાંથી પ્રવાસી મજૂરોનુ પલાયન નિરંતર ચાલુ છે. આજીવિકાની સમસ્યા સામે ઝઝૂમી રહેલ પ્રવાસી કોઈ રીતે પોતાના ગૃહ રાજ્ય પહોંચાડવા ઈચ્છે છે. કોરોના સંકટમાં ભૂખ-તરસ સામે ઝઝૂમી રહેલ પ્રવાસીઓ માટે એક વાર ફરીથી કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે કહ્યુ કે ભારતે પ્રવાસીઓની પીડા જોઈ છે
પરંતુ ભાજપે નહિ. સોનિયા ગાંધીએ કહ્યુ કે દેશ એક ભયાનક મંજર જોઈ રહ્યુ છે જ્યાં કોવિડ-૧૯ વચ્ચે ઘરે જવા માટે પ્રવાસી મજૂર સેંકડો કિલોમીટરનો પ્રવાસ પગપાળા જવુ પડી રહ્યુ છે તો આમાંથી ઘણી ઉઘાડા પગે પ્રવાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી લાકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે જે ૩૧ મે, ૨૦૨૦ ના રોજ સમાપ્ત થશે. ભાજપની સાથે સાથે મોદી સરકારને પણ નિશાન પર લઈને સોનિયા ગાંધીએ કહ્યુ, પ્રવાસીઓની પીડા, તેમનો ડર આખા દેશે સાંભળ્યો પરંતુ કદાચ સરકારને સંભળાયો નહિ.