Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ નિવાસસ્થાને ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન કર્યું

ગણેશ ચતૃથિનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસથી સૌ  મનાવે છે. ખાસ કરીને વડોદરા સુરત વલસાડ  વગેરે સ્થળો એ ધામ ધુમ પૂર્વક વિઘ્ન હર્તા ગણેશજી નો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે. આ વર્ષે કોરોના સંક્રમણ ને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘર માં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્ય મંત્રીશ્રી એ સૌને અપીલ પણ કરેલી છે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ  વિચાર સાથે  ગણેશ સ્થાપન કર્યું છે. પ્લાન  એ પ્લાન્ટ વિથ ગણેશનો  એક નવતર અભિગમ તેમણે આ ગણેશ  સ્થાપનમાં અપનાવ્યો છે.

આ નવતર  અભિનવ વિચારમાં મુખ્ય મંત્રીએ  પૌધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે   મોટા પાયે વૃક્ષો વાવવા આ અવસરે  આગ્રહ ભરી અપીલ પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.