શ્રાધ્ધ પક્ષમાં જ કાગડાઓ ઓછા જાેવા મળતા લોકો નિરાશ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે તેથી અમાસ સુધી હમણા કોઈ જ શુભકાર્ય થશે નહી. એવી વર્ષોથી આપણે ત્યાં ચાલી આવતી ધાર્મિક પરંપરા છે. અત્યારે શ્રાધ્ધ પક્ષમાં લોકો પોતાના સ્વજન પિતૃઓને ‘કાગવાસ’ નાંખીને તર્પણ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર જાે ‘કાગવાસ’ ને આવીને કાગડો ખાય તો તે પિતૃઓ સુધી પહોંચે છે. પરંતુ આજકાલ કાગડાઓ શહેરોમાં તો ઓછા જાેવા મળે છે. પહેલાં તો કાગડાઓની સંખ્યા જાેવા મળતી હતી. પરંતુ કાગડા- ચકલીઓ ખુબ જ ઓછા જાેવા મળે છે. કાગડાઓ કરતા કબુતરો વધારે જાેવા મળતા હોય છે.
કાગડાઓ ઓછા હોવાથી ‘વાસ’ નાંખવા છતા કાગડા આવતા નથી. તેનાથી લોકો નિરાશ થઈ રહ્યા છે. જાે કે આર.ટીઓવાળા રોડ ઉપર એક સ્થળે લોકો કાગડાઓને ગાંઠીયા નાંખતા હોય છે. ત્યાં કાગડા મોટી સંખ્યામાં જાેવા મળતા હોય છે. પરંતુ શ્રાધ્ધ પક્ષ આવતા જ જાણે કે કાગડાઓ અદ્રષ્ય થઈ જાય છે એવી પ્રતિતી થઈ રહી છે. શ્રાધ્ધ પક્ષમાં કાગડા ખુબ જ ઓછા જાેવા મળી રહ્યા છે.