બોરસદ પાસે 2 બસો સામસામે ભટકાતા 18 મુસાફરો ઘાયલ
આનંદ જીલ્લા ના બોરસદ પાસે આજે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સ ની મીની બસ અને એસ.ટી બસ સામસામે ભટકાતા સરજેલા અકસ્માતમાં 4 મુસાફરો ની હાલાત ગંભીર હોવાનુ જણાવ્યું .
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થાને પોહચી તેમજ 108 એમ્બ્યુલન્સ પણ પહોચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુર ધર્મજ રોડ પર આવેલ પ્રસિદ્ધ મણિલક્ષ્મી તીર્થ ખાતે ધાર્મિક કાર્યક્રમ હોવાથી કર્ણાટક થી શ્રદ્ધાળુઓ ખાનગી ટ્રાવેલ દ્વારા જઈ રહ્યા હતા.
ત્યારે વહેલી સવારે 5 વાગ્યા આસ્પાસ મીની બસ બોરસદ પાસે આવેલ વહેરા ગામ નજિક પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતી બોરસદ અમદાવાદ એસ.ટી બસ ભટકાતા ડ્રાઈવર બાજુ ની કેબિન નો ભાગ નો લોચો વળી જવા પામ્યો હતો. અકસ્માતમાં 18 જેટલા વ્યકિતઓ ને નાની મોટી ઈજા થઈ હતી .
અકસ્માતની આસપાસ ના રહીશો ને જાણ થતા ત્યા તરત જ રાહત ની કામગીરી શરુ કરી દિધી હતી. 3-4 જણ મુસાફર ને બસ ના પતરાં કાપી ને બહાર કધ્વામા મદદ કરી રહ્યા હતા. 4 જેટલા ઘાયલ મુસાફરો ને કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ આને બીજા મુસાફરો ને બોરસદ ખાનગી હોસ્પિટલ માં ખાસેડવામા આવ્યા હતા. બોરસદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની કારવાઈ હાથ ધરી છે