પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટ દ્રારા પાલનપુરના નવ નિયુક્ત ધારાસભ્યનો સન્માન સમારોહ યોજાયો
મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે હું
(પ્રતિનિધિ) પાલપુર, પાલનપુર પ્રિન્ટ અને ઇલેક્ટ્રિનિક મીડિયા સાથે જાેડાયેલ અને ફિલ્ડમાં કાર્યરત પત્રકારોમાં સંગઠન પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટ પાલનપુર દ્રારા પાલનપુર વિધાનસભા મતવિસ્તારના નવ નિયુક્ત ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો
પાલનપુરની હોટલ વે વેઇટ ખાતે શુક્રવાર ની સાંજે યોજાયેલા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના સન્માન સમારોહના પ્રારંભમાં સિક્કિમમાં સર્જાયેલા હોનારતમાં શહીદ થયેલા સોળ જવાનો નવા શ્રધાંજલિ આપવામાં આવી હતી બાદમાં સંગઠનનાં પ્રમુખ ભાનુભાઈ જાેશી દ્રારા મોમેન્ટ આપીને ધારાસભ્ય અનિકેત ઠાકરનું સન્માન કરાયું હતુ જયારે સંગઠનનાં ઉપપ્રમુખ અશુતોષભાઈ બારોટ એ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાનું અને સરફરાઝ નાગોરીએ જિલ્લા ભાજપ મંત્રી નિલેશભાઈ મોદી, કનૈયાલાલ પરમારે ગાલવના રાજ ચૌધરી નું સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સિનિયર પત્રકાર દેવેન્દ્ર મંડોરા,રમણભાઈ બારોટ,પ્રદીપભાઈ મહેતા અને ગુલાબસિંહ ભાટી નું પણ સન્માન કરાયું હતું આ પ્રસંગે નવ નિયુક્તિ ધારાસભ્ય અનિકેત ઠાકરે દેશ માં સર્વાંગી વિકાસ પત્રકારોની અહમ ભૂમિકાને બિરાદવવાની સાથે પાલનપુર મતવિસ્તાર લોકોએ તેમના પર મુકેલા ભરોસા ને પૂરો કરવા પાંચ દોડતા રહેવાનો ભરોસો આપ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાએ પણ મીડિયા મિત્રોની કામગીરીને બિરદાવી આવા કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.