વિરપુર તાલુકાનો યુવાન ભારતીય સેનામાંથી નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના જમાલપુરના વતની વાળંદ મનહરભાઈ કાંતિભાઈ જેઓ જમ્મુ કશમીર ભારતીય સેવાદળમોં ફરજ પૂર્ણ કરી નિવૃત થઈ માદરે વતન ફરતા જમાલપુર ગામના વરિષ્ઠ આગેવાન સરપંચશ્રી નાપ્રતિનિધિ બાબરસિંહ ના નેતૃત્વ હેઠળ સન્માન કાર્યક્રમ કરવામો આવ્યો, આ પ્રસંગે મહિસાગર જિલ્લા પંચાયત સદસ્ય પિનાકીનભાઈ શુકલ, વિરપુર તાલુકાના કારોબારી અધ્યક્ષ જીગરભાઇ પટેલ, વિરપુર તાલુકાના પુર્વ કારોબારી અધ્યક્ષ પ્રદીપભાઈ શેઠ, ધોરાવાડા ગ્રામ પંચાયતના સરપંચ રાઇબેન બાબરસિંહ પરમાર તથા સમસ્ત જમાલપુર ગ્રામજનો દ્વારા ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ આવતા ફોઝી મનહરભાઈ કાંતિભાઈ વાળંદનો સન્માન કાર્યક્રમ વિરપુર એસ. આર. પેટ્રોલ પંપથી રેલી સ્વરૂપે ચાલુ કરીને વાજતે ગાજતે જમાલપુર ફુલબાઈ માતાજીનાં મંદિરે પહોચી પુજા અર્ચના કરીને ત્યાર બાદ માજી સૈનિકો દ્વારા મનહરભાઈનું સન્માન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા વીરપુર વરધરા એસ.આર પેટ્રોલ પંમ્પથી સૈનિકને ઘોડેસવાર ડીજેના તાલે દેશભક્તિની સોર્ય ગાથા વર્ણવતા ગીતોના અનેરા અંદાજમાં નીકળી હતી.