દાહોદ પાસે માલગાડીને અકસ્માત, ૧૨ ડબ્બા એકબીજા પર ચઢી ગયા

અમદાવાદ, દાહોદ નજીક દિલ્હી મુંબઇ મુખ્ય રેલ્વે માર્ગના મંગલ મહુડી નજીક રેલવે અકસ્માત સર્જાયો હતો. માલગાડીનું ડિરેલમેન્ટ થતા અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લગભગ ૧૨ ઉપરાંત માલગાડીના ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા મુંબઈ દિલ્હી રેલમાર્ગ ખોરવાયો હતો.
અન્ય ટ્રેનોની આવનજાવન પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલોમાં ભારે નુકશાની જાેવા મળી હતી. તેમજ રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું.
ઘટનામાં રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. મહત્વનું છે કે માલગાડી ડીરેલ થતાં મુંબઈ- દિલ્હી વચ્ચેનો રેલમાર્ગ ખોરવાયો છે. કારણ કે માલગાડીના ૧૨ થી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડતાં રેલવે ટ્રેકને ભારે નુકશાન થયુ છે. તો સાથે જ ટ્રેન ઉપર જતા કેબલો પણ તુટી પડતાં યાતાયાત અટકી ગયો છે.
હાલ તો રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે સમારકામમાં લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. આ દરમિયાન રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યે કોઈ કારણસર પાછળથી ૧૭થી ૧૮ ડબ્બા છૂટા પડી ગયા હતા.
ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ ઉપરાંત રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો. આ ઉપરાંત રેલવે લાઇનના કેબલને ભાર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો.
રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો. અકસ્માતને પગલે વહેલી સવારથી જ રેલવે તરફથી રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રેલવેના અધિકારીઓ આશા રાખી રહ્યા છે કે બપોર સુધી કેબલ જાેડવાથી લઈને ટ્રેક સરખો થઈ શકે છે.
એટલે કે બપોર બાદ આ રૂટ શરૂ થઈ શકે છે. જાેકે, ઘટના સ્થળના દ્રશ્યો જાેઈને આ કામ લાંબુ ચાલે તેવું લગી રહ્યું છે. આ મામલે મુંબઈ સેન્ટ્રલ, વેસ્ટર્ન રેલવે તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે રત્લામ ડિવિઝનની ખાતે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં નીચેની ટ્રેનને ડાઇવર્ટ કરવામાં આવી છે. ટ્રેન નંબર, ૧૨૨૨૮, ૧૨૯૧૦, ૧૨૯૫૨, ૧૨૯૫૪, ૨૨૯૦૨, ૧૨૯૨૬, ૨૨૧૯૫, ૨૦૯૪૧, ૧૯૦૧૯.SS1MS