કેન્યામાં સ્થાયી થયેલ ગુજરાતી યુવાનની ગોળીબારમાં હત્યા કરાઇ
દ્વારકા, દુનિયાના મોટા ભાગના દેશોમાં ગુજરાતીઓ વસે છે અને વિદેશમાં રહી પોતાની મહેનતના દમ પર એક ગુજરાતી તરીકે ગુજરાતનું નામ રોશન કરે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા સહિત અન્ય દેશોમાં ગુજરાતીઓ પરના હુમલાઓ સામે આવતા રહે છે ત્યારે આજે કેન્યામાં એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે.
ખંભાળિયા તાલુકાના દાતા ગામના વતની અને કેન્યામાં સ્થાયી થયેલ યુવાનની ગોળીબારમાં હત્યા કરાઇ હોવાની પુષ્ટિ થઇ છે. કેતન હિંમતલાલ શાહ નામના મહાજન યુવાનની કેન્યામાં ગોળીબારમાં હત્યા થઇ હોવાની જાણકારી સામે આવી રહી છે. કેતન શાહને કેન્યામાં પોતાની મોબાઇલની દુકાનમાં હોય ત્યારે બાઈક સવારે તેમના પર ગોળીબાર કરતા તેમનું મૃત્યુ થયું હતું.
કેતન હિંમતલાલ શાહની હત્યાના બનાવની જાણકારી મળતા જ મહાજન પરિવારમાં શોકનું મોજું ફરિ વળ્યું છે ત્યાંજ કેતનભાઇનની હત્યા બાદ કેન્યામાં રહેતા ગુજરાતી લોકોએ પણ આરોપી હત્યારાઓને ઝડપી પાડવા સ્થાનિક પોલીસને માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ વિદેશમાં ખાસ કરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય લોકો પર થયેલા હુમલાઓ ચર્ચામાં રહ્યા હતા. ત્યાં જ વંશભેદના મામલાઓ પણ સામે આવ્યા હતા. જાેકે આજે કેન્યામાં મહાજન યુવાનની હત્યાની ઘટનાથી કેન્યામાં સનસની મચી ગઇ છે.