હડકાયા કુતરાએ 12 લોકોને કરડી લોહીલુહાણ કર્યા

પ્રતિકાત્મક
જામનગર, જામનગર જીલ્લાના લાલપુરમાં હડકાયા કુતરાએ ગઈકાલે સાંજે એક જ દિવસમાં એકીસાથે ૧ર જેટલા વ્યકિતને કરડી લેતાં ભારે દોડધામ થઈ છે. તમામ ઈજાગ્રસ્તો ને સારવાર માટે સૌપ્રથમ લાલપુરની સરકારી હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જે પૈકીી ચારને વધુ સારવાર માટે જામનગર લઈ આવ્યા પછી બે વ્યકિતને અમદાવાદ રીફર કરાયા છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુરના સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે સાંજે હડકાયા શ્વાનનો ત્રાસ જાેવા મળ્યો હતો. અને માર્ગ પરથી પસાર થનાર લોકોોને કરડવાનું શરૂ કરી દીધું હતુ. તેમાં બાળકો-મહીલા તથા પુરુષ સહીત ૧ર વ્યકિતને કુતરું કરડી ગયાના અહેવાલ મળતાં ભારે દોડધામ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લાલપુર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જે પૈકી બે બાળકો અને બે પુરુષ સહીતના ચાર વ્યકિતને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી પણ એક પુરુષ અને એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. આ બનાવને લઈને લાલપુરમાં ભારે ફફડાટ મચી ગયો હતો.
લાલપુર પોલીસને જાણ થતાં લાલપુરની પોલીસ ટુકડી ગઈકાલે મોડી રાત્રે સામા કાઠા વિસ્તારમાં પહોચી હતી અને નગરપાલિકાની ટીમને જાણ કરીને કુતરાને પકડવાની કવાયત શરૂ કરી હતી. ઉલ્લેખનીય છેકે ૧ર પૈકી જે બે વ્યકિતને હડકાયું કુતરું કરડયું છે. તેમને ગંભીર ઈજા પહોચતા અમદાવાદ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.