Western Times News

Gujarati News

ઈડરના ઉમેદગઢ ગામેસેરીનીટી ફાઉન્ડેશન દ્વારા આશ્રય (વૃદ્ધાશ્રમ)નું લોકાર્પણ કરાયું

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઈડર તાલુકાના ઉમેદગઢ ગામે પરિવાર ધ્વારા ત્યજી દેવામા આવેલ વરિષ્ઠ નાગરિકોને આસરો મળી રહે તે માટે આશ્રય સ્થાનનુ ઉદઘાટન કરવામાં આવ્યું. સેરેનીટી ફાઉન્ડેશન સંચાલિત આશ્રય સમાજમાં એવા જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો છે જેમને કુટુંબમાથી ત્યજી દેવાયા છે અથવા એકલા પડી ગયેલા છે જેમના માથે જીવનના અંતિમ તબક્કામાં છાપરૂ નથી કે કુટુંબીજનોનો સહવાસ નથી જે તિરસ્કૃત થયેલ છે તેવા લોકોને માન સન્માનથી સંપૂર્ણ સુરક્ષા સાથે રહેવા માટે આસરો મળી રહે તે માટેના શુભ આશયથી આશ્રય નુ નિમૉણ કરવામાં આવેલ છે જે આશ્રય સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઇડર થી વલાસણા માગૅ ઉપર ૧૧ કિ.મી. દૂર આવેલ ઉમેદગઢ ગામે ઉમેદગઢ ગામના વતની અને મુંબઇ સ્થિત શ્રી વિનોદભાઇ ઠાકરે આજથી પાંચ વષૅ પૂર્વ સેરેનીટી ફાઉન્ડેશનની સ્થાપના કરી આશ્રય ની રચનાનુ એક સમાજ ઉપયોગી ઉમદાકાયૅનુ સ્વપ્ન જાેયેલુ જે તેઓના અથાગ પરિશ્રમથી ઉમેદગઢ ગામની વચ્ચે હાઇસ્કુલ ની પાછળ નદી કિનારે ૧૦ હજાર ચો.ફૂટ જગ્યામાં નિમૉણ પામેલ છે તેમા ડોરમેટરી સહિત ૧૦ આધુનિક સગવડ વાળા રૂમો આવેલ છે સંકુલમાં પ્રાથૅના હોલ, પુસ્તકાલય, ભોજનાલય, એમ્બ્યુલન્સ ની સગવડ સાથે પ્રાથમિક ઉપચાર કેન્દ્ર ઉપરાંત ધ્યાનયોગ કેન્દ્ર અને બગીચો પણ બનાવવામાં આવેલ છે.

આશ્રય સંસ્થાના પ્રથમ તબક્કાના મકાનનું બાંધકામ પૂણૅ થઇ જતા સંસ્થાના સ્થાપક અને સંચાલક વિનોદભાઇ ઠાકરના સ્વપ્ન ને મૂતૅીમંત કરવા તા ૨૧-૧૧-૨૦૨૨ સોમવારના રોજ નવીન મકાનનું લોકાર્પણ કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.