Western Times News

Gujarati News

અભિનેતા રુષાદ રાણા કેતકી વાલાવલકર સાથે લગ્ન કરશે

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ અનુપમામાં કાવ્યાના પૂર્વ પતિ અનિરુદ્ધના રોલમાં જાેવા મળેલો એક્ટર રુષાદ રાણા ટૂંક સમયમાં જ લગ્નના તાંતણે બંધાવાનો છે. રુષાદ આ જ સીરિયલની ક્રિએટિવ ડાયરેક્ટર કેતકી વાલાવલકરના પ્રેમમાં છે.

કેતકી અને રુષાદ ૨૦૨૩ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં લગ્ન કરવાના છે. ૪ જાન્યુઆરીએ કેતકી અને રુષાદ મુંબઈમાં જ સાત ફેરા લેશે. રુષાદ પોતાના જીવનનું આ નવું પ્રકરણ શરૂ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. રુષાદે કહ્યું, કેતકી ખૂબ જ સમજુ, પરિપક્વ અને સારી છોકરી છે. અમારી મુલાકાત એક વર્ષ પહેલા થઈ હતી અને અમે પહેલીવાર ૪ જાન્યુઆરીએ ડેટ પર ગયા હતા.

એટલે જ અમે લગ્ન માટે આ તારીખ પસંદ કરી છે. ૨૦૧૩માં મારા ડિવોર્સ થયા પછી હું ફરીથી લગ્ન કરવા અંગે ગૂંચવણમાં હતો અને કમિટમેન્ટ ઈશ્યૂ પણ હતા. પરંતુ મારી મુલાકાત કેતકી સાથે થઈ ત્યારે શરૂઆતથી જ બધું સારું લાગી રહ્યું હતું. અમારા બંનેમાંથી કોઈએ એકબીજાને પ્રપોઝ કર્યું નથી અમે સમજી જ ગયા હતા. અમને અહેસાસ થયો કે, સંબંધને આગળ વધારવાનો સમય આવી ગયો છે.

૪ જાન્યુઆરીએ અમારા લગ્ન છે અને તે બાદ અમે મિત્રો માટે નાનકડી પાર્ટી રાખીશું. રુષાદે આગળ કહ્યું, મારા પેરેન્ટ્‌સને પણ કેતકી ખૂબ પસંદ છે. હું પારસી છું અને મહારાષ્ટ્રીયન છે તેમ છતાં અમારા બંનેના પરિવારો આ લગ્ન માટે ખૂબ આતુર છે. અનુપમા સીરિયલની ક્રિએટિવ ડાયરેક્ટર કેતકી પણ પરણવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેણે કહ્યું, “એક ડેટિંગ સાઈટ પર મારી અને રુષાદની મુલાકાત થઈ હતી.

પરંતુ તેણે ‘અનુપમા’માં કામ કર્યું હતું એટલે હું તેને ઓળખતી હતી અને સેટ પર અમારી વચ્ચે વાતો પણ થતી હતી. એટલે મને ક્યારેય એવું ના લાગ્યું કે હું કોઈ અજાણ્યા વ્યક્તિને ડેટ કરી રહી છું.

રુષાદની પ્રામાણિકતા તેની સૌથી મોટી ખૂબી છે. તે ખૂબ જ સમજુ અને સારો છોકરો છે. અમે બંને એક જેવા જ છીએ. લગ્ન અંગે વાત કરતાં કેતકીએ કહ્યું, “લગ્ન પહેલા મારા ઘરે મહેંદી રસમ યોજાશે. હું મહારાષ્ટ્રીયન દુલ્હનની જેમ તૈયાર થઈશ. રુષાદ સાથે મારું નવું જીવન શરૂ કરવાની રાહ નથી જાેઈ શકતી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.