બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં ઉછાળોઃ ૧૭,૧૩૫ નવા કેસ નોંધાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Corona.png)
નવી દિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭,૧૩૫ નવા કેસ નોંધાયા છે અને ૪૦ સંક્રમિતોના મોત થયા છે.
દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૧,૩૭,૦૫૭ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૪૭૭ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૩૪,૦૩,૬૧૦ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ ૨૦૪,૮૪,૩૦,૭૩૨ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૨૩,૪૯,૬૫૧ ડોઝ ગઈકાલે અપાયા હતા.
ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસોમાં ૨ ઓગસ્ટે ૧૩,૭૩૪ નવા કેસ નોંધાયા અને ૩૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા. ૧ ઓગસ્ટે ૧૬,૪૬૪ નવા કેસ નોંધાયા અને ૩૯ સંક્રમિતોના મોત થયા હતા.
દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જાેકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં ૫.૪૦ લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં ૨૨ જુલાઈના રોજ સૌથી વધુ ૨૧,૮૮૦ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૨૩ જુલાઈએ મહિનાના સૌથી વધુ ૬૭ સંક્રમિતોના મોત થયા હતા. ૫ જુલાઈએ સૌથી ઓછા ૧૩,૦૮૬ કેસ નોંધાયા હતા.SS1MS