અમદાવાદમાં કોરોનાના ૩પ કેસ, બે દિવસનું બાળક કોરોનાની ઝપેટમાં

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્યમાં કોરોનાના કેસમાં અચાનક જ ઉછાળો આવ્યો છે અને એક જ દિવસમાં કોરોનાના નવા ૬૮ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ શહેરમાં ૩પ કેસ કન્ફર્મ થયા છે. અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા બમણી થઈ ૧૪પ પહોંચી છે. જ્યારે રાજ્યમાં એકટીવ કેસની સંખ્યા ર૬પ થઈ છે. કોરોનાના દર્દીમાં એક આઠ માસની નવજાત બાળકીનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરમાં ર૭ તારીખે એક્ટિવ દર્દીઓની સંખ્યા ૭૬ હતી જે ૩૦ તારીખ સવાર સુધી વધીને ૧૪પ પહોંચી ગઈ છે. શહેરના મધ્ય ઝોનમાં કોરોનાના ૬ પશ્ચિમ ઝોનમાં ૩પ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૪૦, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩૦, ઉત્તર ઝોનમાં ૪, પૂર્વમાં ૧૩ અને દક્ષિણ ઝોનમાં ૧૭ એક્ટિવ કેસ છે. ૩૦ તારીખે કોરોનામાં નવા ૩પ કેસ નોંધાયા છે
જ્યારે ર૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ચાલુ માસ દરમિયાન કોરોનાના ૧૮પ કેસ નોંધાયા છે. જે પૈકી ૩૯ દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી.
અમદાવાદમાં એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો છે. નવજાત બાળકને એનઆઈસીયુમાં રખાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ ૨ દર્દી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે.
રાજ્યમાં શુક્રવારે કોરોનાના ૬૮ પોઝિટિવ કેસ કન્ફર્મ થતા કુલ એક્ટિવ કેસની સંખ્યા ર૬પ પર પહોંચી જે પૈકી ૧૧ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે રપ૪ દર્દીઓને હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે શુક્રવારે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા છે જેમાં ર મહિલા અને ૬ પુરૂષનો સમાવેશ થાય છે. રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ ર૪ કેસ નોંધાયા છે જે પૈકી છેલ્લા ૩ દિવસમાં જ ૧૯ કેસ કન્ફર્મ થયા છે.
રાજ્યમાં વધી રહેલ કોરોનાના કેસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. કોઈને કોરોનાના લક્ષણ જોવા મળે તો આઈસોલેટ કરવા જરૂરી છે. હાલ ઓમિક્રોનનો વેલિયન્ટ છે અને બહુ એડવાન્સ સ્ટેજ સુધી બીમારી થાય તો જ જોખમી છે. અન્યથા સામાન્ય બીમારી જેવો જ છે.