Western Times News

Gujarati News

અમદાવાદમાં રથયાત્રા-2025 પહેલાં ૧૧ જૂને નીકળશે જળયાત્રા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ૨૭ જૂને નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત કરવામાં આવતી જળયાત્રા આગામી ૧૧ જૂનના રોજ નીકાળવામાં આવશે.

અમદાવાદમાં મિની રથયાત્રા તરીકે ઓળખાતી જળયાત્રા આગામી ૧૧ જૂનની સવારે ૮ વાગ્યે હાથી, બેન્ડવાજા, ધજા પતાક, ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરેથી નીકળીને સાબરમતી નદીના ભુદર ખાતે પહોંચશે અને નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.