Western Times News

Gujarati News

૩ જુલાઈથી શરૂ થનાર અમરનાથ યાત્રા માટે ૪૨૦૦૦ જવાનો તૈનાત

File

મુંબઈ, પહેગામમાં નિર્દાેષ પ્રવાસીઓની હત્યા બાદ દુઃખી થયેલા ભારતીયોને ‘ઓપરેશન સિંદૂર’થી નવું જોમ મળ્યું છે. નિર્દાેષ ભારતીયોનું લોહી રેડવાની નાપાક હરકત થશે તો આતંકવાદીઓ અને તેમના આકાઓને ભારતીય સેના જહન્નુમ ભેગા કરી દેશે તેવો વિશ્વાસ દરેક ભારતીયને છે. સશસ્ત્ર દળો પરના આ વિશ્વાસ અને ‘બર્ફાની બાબા’ પરની અખૂટ શ્રદ્ધાના બળે આ વર્ષે પણ નિયત સમય મુજબ પરંપરાગત અમરનાથ યાત્રાનું આયોજન થયું છે.

૩ જુલાઈથી શરૂ થનારી યાત્રા માટે ગૃહ મંત્રાલયએ યાત્રાના માર્ગાે અને આસપાસના વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે અર્ધલશ્કરી દળોની તૈનાતીને મંજૂરી આપી છે. સરળ અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં અર્ધલશ્કરી દળોની ૫૮૧ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

જેમાં લગભગ ૪૨,૦૦૦ ઓન-ગ્રાઉન્ડ સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.૫૮૧ કંપનીઓમાંથી ૪૨૪ કંપનીઓને કંપનીઓને કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) મોકલવામાં આવી રહી છે, જ્યારે બાકીની કંપનીઓ – જેમાંથી લગભગ ૮૦ કંપનીઓ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ત્યાં પહેલાથી જ તૈનાત હતી –

તે હવે યાત્રા રૂટ અને શ્રીનગર સહિત અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે ફરીથી તૈનાત કરવામાં આવશે.ગૃહ મંત્રાલયે તમામ દળોને જૂનના બીજા અઠવાડિયા સુધીમાં તેમની પોઝિશન લેવાનો આદેશ આપ્યો છે જેથી ૩ જુલાઈથી ૯ ઓગસ્ટ સુધી ૩૮ દિવસની અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે. આ વખતે સુરક્ષા યોજના ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે.

જેમાં ૨૬ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા.ગૃહમંત્રી અમિત શાહ જમ્મુની તેમની પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન મુસાફરી સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે. તેમની પહેલા સીઆરપીએફના ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ અને બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીત સિંહ ચૌધરીએ પણ કાશ્મીરમાં સુરક્ષા તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ કંપનીઓને પાંચ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાંથી પસંદ કરવામાં આવી છે.

જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ૨૧૯ કંપની, બોર્ડર સિક્યોરિટી ફોર્સની ૧૪૩ કંપની, સશસ્ત્ર સીમા બલની ૯૭ કંપની, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની ૬૨ કંપની અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની ૬૦ કંપની સામેલ છે. દરેક કંપનીમાં ૭૦ થી ૭૫ સુરક્ષા કર્મચારીઓ હોય છે

.ગૃહ મંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે મોડી રાત્રે જમ્મુ પહોંચ્યા હતા. શાહ બે દિવસના રોકાણ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને પૂંચમાં પાક.ના તોપમારાથી પ્રભાવિત લોકોની મુલાકાત પણ કરશે.

ઓપરેશન સિંદૂર બાદ તેઓ સૌપ્રથમ વખત પ્રદેશ મુલાકાતે આવ્યા છે. મોડીરાત્રે શાહે રાજ ભવનમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.