પાક. સાથે તંગદિલી વચ્ચે સરકારે ઇન્ટર-સર્વિસિસ ઓર્ગે. એક્ટ અમલી બનાવ્યો

નવી દિલ્હી, પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે હવાઇદળ, નૌકાદળ અને ભૂમિદળ એમ ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચે તાલમેલ અને કમાન્ડ કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ઇન્ટર-સર્વિસિસ ઓર્ગેનાઇઝેશન એક્ટને સંપૂર્ણપણે લાગુ કર્યાે છે.
સંરક્ષણ મંત્રાલયે ૨૦૨૩ના આ ધારા હેઠળના નિયમોને ૨૭મેએ નોટિફાઇ કરીને તેનો અમલ કર્યાે હતો.મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ પગલાનો હેતુ ઇન્ટર-સર્વિસિસ ઓર્ગેનાઇઝેશનના અસરકારક કમાન્ડ, કંટ્રોલ અને કાર્યક્ષમ કામગીરીને મજબૂત બનાવવાનો છે, જેનાથી સશસ્ત્ર દળો વચ્ચે તાલમેલમાં વધારો થશે.
આ નિયમોના નોટિફિકેશન સાથે ઇન્ટર-સર્વિસિસ ઓર્ગેનાઇઝેશન્સ (કમાન્ડ, કંટ્રોલ એન્ડ ડિસિપ્લિન) એક્ટ ૨૦૨૩ હવે સંપૂર્ણપણે અમલી બન્યો છે. આનાથી આઈએસઓના વડાઓને વધુ સત્તા મળશે તથા શિસ્તના કેસોનો ઝડપથી નિકાલ થશે અને કાર્યવાહીનું ડુપ્લિકેશન ટાળી શકાશે.
આ કાયદો આઈએસઓના કમાન્ડર-ઇન-ચીફ અને ઓફિસર-ઇન-કમાન્ડને તેમની હેઠળના કર્મચારીઓ પર કમાન્ડ અને કંટ્રોલની સત્તાનો ઉપયોગ કરી શકશે.
તેનાથી સંગઠનોમાં શિસ્ત અને વહીવટની અસરકારક જાળવણી સુનિશ્ચિત કરી શકાશે.નિવેદનમાં જણાવાયું હતું કે કાયદાની કલમ ૧૧ હેઠળ ઘડવામાં આવેલા નવા ગૌણ નિયમોનો હેતુ કાયદામાં નિર્ધારિત જોગવાઈઓના અસરકારક અમલને સરળ બનાવવાનો છે. આ નિયમો શિસ્ત, વહીવટી નિયંત્રણ અને કાર્યકારી તાલમેલ માટે એક સર્વગ્રાહી માળખું સ્થાપિત કરે છે.
આ અંગેના બિલને ૨૦૨૩માં ચોમાસુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોની બહાલી મળી હતી. બિલને ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩એ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને ૮મે, ૨૦૨૪ના ગેઝેટ નોટિફિકેશન મુજબ આ કાયદો ૧૦ મે, ૨૦૨૪થી અમલમાં આવ્યો છે.
અગાઉ એક કમાન્ડર-ઇન-ચીફ અથવા ઓફિસર-ઇન-કમાન્ડને અન્ય સશસ્ત્ર દળોના કર્મચારીઓ પર શિસ્ત કે વહીવટી સત્તા ધરાવતા ન હતા. નવા કાયદામાં તેમની આવી સત્તા આપવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે, નેવીના કમાન્ડર ઇન ચીફને ભૂમિદળ કે એરફોર્સના સૈનિકો પર વહીવટ કે શિસ્ત સંબંધિત સત્તા મળશે.SS1MS