Western Times News

Gujarati News

વિશાલા ખાતે નવીનીકરણ પામેલ ધાતુપાત્ર સંગ્રહાલય ‘વિચાર’નું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા વિશાલા ખાતે સામાજિક કાર્યો માટે ગાંધીમિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદના વિશાલા ખાતે નવીનીકરણ પામેલ ‘વિચાર’ ધાતુપાત્ર સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા ગાંધીમિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

શ્રી અમિતભાઈ શાહે નવીનીકરણ પામેલા ધાતુપાત્ર સંગ્રહાલયનું નિરીક્ષણ કર્યું હતું. આ મ્યુઝિયમમાં વિશ્વભરનાં વાસણોના સંગ્રહને તેમણે નિહાળ્યો હતો.

શ્રી અમિતભાઈ શાહના હસ્તે સામાજિક કાર્યો માટે શ્રી દિનેશભાઈ મનજીભાઈ લાઠીયા, શ્રી અલ્પેશભાઈ રમેશભાઈ બારોટ, શ્રીમતી જિજ્ઞાબહેન ભાસ્કરભાઈ શેઠને ગાંધીમિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિશાલાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.