અમરેલી-મહુવા GSRTCની બસ એકાએક બંધ કરી દેવાતાં વિદ્યાર્થીઓમાં રોષ
વીજપડી ગામે અમરેલી ડેપોની અમરેલી-મહુવા વાયા વીજપડી સવારે ૭ વાગ્યે આવતી બસ એકાએક કારણ વગર બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ તેમજ વીજપડીથી મહુવા ધંધાર્થે અપડાઉન કરતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે.
આ બસ બંધ કરી દેવાતા લુવારા, ગોરડકા, મેરીયાણાના વિદ્યાર્થીઓને ફરજિયાત ખાનગી વાહનોમાં ભાડા દઈને અને જીવ જાખમમાં મૂકીને મુસાફરી કરવી પડે છે. બસ બંધ થતા દર્દીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે. મહુવા સારવાર અર્થે જતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ, મુસાફરોને સારી સગવડ આપતી બસ અમરેલી એસ.ટી. ડિવિઝન દ્વારા બંધ કરી દેવામાં આવતા મુસાફર જનતામાં રોષની લાગણી જન્મી છે.