રોજગારી અને પેપર ફૂટવા મામલે સરકાર પર AAPના પ્રહાર
(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહી છે.
અમરેલી જિલ્લાના આપના પાંચ ઉમેદવારો માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે અમરેલીમાં રોડ શો યોજ્યો હતો.
અમરેલી આવેલા કેજરીવાલે રોજગાર અને પેપર ફૂટવા મામલે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીના યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં આપના કાર્યકતાર્ો અને શહેરીજનો સામેલ થયા હતા. રોડ શો દરમિયાન રસ્તા પર આમ આદમી પાર્ટીના પીળા ઝંડાઓ ફરકતા જાેવા મળ્યા હતા.
મહત્વનું છે કે, ૨૦૧૭માં અહીંની તમામ પાંચ બેઠક કાૅંગ્રેસના ફાળે ગઈ હતી. હવે ભાજપ અહીં તમામ બેઠક જીતવા માટે કમર કસી રહી છે. તો આમ આદમી પાર્ટીએ પણ અહીં ત્રીજા પક્ષ તરીકે જીત મેળવવા તાકાત લગાવી છે. અમરેલીમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં રોજગાર અને પેપર ફૂટવા મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સાથે કહ્યું હતું કે, આ પેપર ફોડનારા તત્વોને છોડવામાં નહીં આવે તમામને જેલભેગા કરાશે. આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભાં રાખ્યાં છે. આમ આદમી પાર્ટીનાં વડા અરવિંદ કેજરીવાલે પ્રચારની જવાબદારી ઉઠાવી લીધી છે.