Western Times News

Gujarati News

બોટાદ JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા અસ્મિતા ઉત્સવ-૨૦૨૩ ઉજવાયો

(પ્રતિનિધિ) હળવદ, JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ બોટાદ દ્વારા દ્વારા પોતાનો વાર્ષિક ઉત્સવ રાષ્ટ્ર પ્રેમ,મૂલ્ય શિક્ષણ અને ભારતીય પારંપારિક કલા સંસ્કૃતિના કથાનકને લઇ શાળાની વિદ્યાર્થી પ્રતિભા એ અવિસ્મરણીય સાંસ્કૃતિક કાર્યક્રમ બોટાદ D.Y.S.P મહર્ષિ રાવલની અધ્યક્ષતામા ઉજવ્યો હતો.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ સર્વે ડો.નાકરાણી,સિદ્ધાર્થભાઈ બગડિયા તથા બોટાદના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સાથોસાથ શિક્ષણ,કલા સાંસ્કૃતિ તેમજ રમત ગમત ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ એ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી,તેઓને મોમેંટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્યારે,એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવીણભાઇ ખાચર પોતાની આગવી શૈલી થી સમગ્ર કાર્યક્રમનુ ઉતમ સંચાલન કર્યું હતુ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ વી.કે.મહેતા તેમજ સ્ટાફ મિત્રોએ સખત મહેનત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.