Western Times News

Gujarati News

આસ્ટોડિયા પાસે ખોદકામથી લાલ બસો ડાયવર્ટ કરાઈ

File

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં એસટી સ્ટેન્ડ ખૂબ જ મહત્વનું સ્થળ ગણાય છે અહીંયા રોજની અનેક એસટી બસો પસાર થાય છે તેની સાથે સાથે રોજબરોજ અનેક વાહનો નીકળતા હોય છે

એસ.ટી ચાર રસ્તા થી આગળ આસ્ટોડિયા મુખ્ય માર્ગ આવેલો છે અહીંયા પાછલા કેટલાક દિવસથી ખોદકામ ની કામગીરી ચાલતી હોવાથી મોટી સંખ્યામાં પસાર થતા વાહનોને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે રોડ સાંકડો હોવાને કારણે મોટા વાહનો અને નાના વાહનો ને નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે

આવા સંજોગોમાં જો બીઆરટીએસ માર્ગને સામાન્ય વાહનો માટે ખુલ્લો મુકવામાં આવે તો ટ્રાફિક જામ ની સમસ્યા આંશિક રીતે હલ થઇ શકે છે બીજી તરફ એએમટીએસ બસો પણ ધીમે ધીમે ડાઈવર્ટ થઈ રહી છે લાલ દરવાજા તરફ જતી બસોને એસટી જમાલપુર થઈ પાલડી થઈ લાલ દરવાજા લઈ જવામાં આવી રહી છે

જેને કારણે ઓફિસ માટે નીકળેલા કે કામકાજ અર્થે નીકળેલા લોકોને સમય સચવાતો નથી જમાલપુર માર્ગ ઉપર પણ અલગ અલગ સ્થળોએ ટ્રાફિક જામ સર્જાતો જોવા મળે છે આસ્ટોડિયા પાસે થયેલું ખોદકામ ઝડપથી પૂર્ણ કરીને કામગીરી સમાપ્ત કરવામાં આવે એવી લોકોને લાગણી પ્રવર્તી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.