પાક.માં બલુચ બળવાખોરોએ કરાચી નેશનલ હાઇવે પર કબ્જો કર્યો

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં બલુચિસ્તાનના બળવાખોર સંગઠન બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. આ સશસ્ત્ર જૂથે ક્વેટા-કરાંચી હાઈવેને જામ કરીને મુખ્ય નેશનલ હાઈવે પર કબજો કરી લીધો છે.
‘ધ બલુચિસ્તાન પોસ્ટ’ના રિપોર્ટ મુજબ, હથિયારધારી લડવૈયાઓએ લેવી પોલીસ સ્ટેશ પર હુમલો કર્યાે અને બિલ્ડિંગ પર કબજો કરી લીધો છે. હુમલાખોરોએ પોલીસ અધિકારીઓને બંધક બનાવી લીધા અને બિલ્ડિંગમાં આગ લગાડી દીધી છે.
પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડીઓને પણ આગ લગાડી દીધી અને હથિયારો લૂંટી લીધા છે. આ પહેલા બીએલએના લડવૈયાઓએ સોરાબમાં મોટો હુમલો કરીને શહેર પર કબજો કરી લીધો છે.
બીએલએના પ્રવક્તા જીયાંદ બલુચે જણાવ્યું કે તેમના કમાન્ડરોએ સોરાબ શહેર પર સંપૂર્ણ કંટ્રોલ કરી લીધો છે. પોલીસ સ્ટેશન, ડીસી ઓફિસ, ગેસ્ટ હાઉસ અને બેંકો પર કબજો કર્યાે છે અને વ્યવસ્થા સંપૂર્ણપણે પાંગળી બનાવી દીધી છે. બલુચિસ્તાનમાં સતત થઈ રહેલા ઓપરેશનોથી સ્પષ્ટ છે કે બલુચ વિદ્રોહી સતત મજબૂત થઈ રહ્યા છે અને પાકિસ્તાનની સેનાની પકડ નબળી પડી રહી છે.
બલુચિસ્તાનના બીજા સશસ્ત્ર જૂથ બલુચિસ્તાન લિબરેશન ળન્ટે(બીએલએફ) ખુજદાર નાલમાં પાકિસ્તાનના સશસ્ત્ર દળો પર હુમલાની જવાબદારી લીધી છે.
બીએલએફના પ્રવક્તા મેજર ગૌરમ બલુચે એક નિવેદનમાં કહ્યું કે શનિવારે ૩૧મી મેએ સવારે લગભગ ૧૧ કલાકે બલુચ બળવાખોરોએ ખુજદાર નાલમાં પેડીચ હોટલની પાસે રાજ્યના શાંતિદળોના બે અધિકારીઓ પર હુમલો કર્યાે, જેમાં બે લોકોના મોત થયા હતા.
બીએલએફના પ્રવક્તાએ રાજ્ય માટે ઉપયોગ થનાર તમામ સમૂહોને ચેતવણી આપી છે કે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે બલુચ બળવાખોરોએ ખારન શહેર પર પણ હુમલો કર્યાે છે.
શનિવારે જ ડેરા મુરાદ જમાલી અને સુઈમાં ગેસ પાઈપલાઈન પર હુમલો કર્યાે હતો. જોકે, હુમલો થયો એ સમયે પાઈપલાઈનમાં ગેસનો સપ્લાય ન હતો. ગેસ પાઇપલાઈન પર હુમલો કરવાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. આ વિસ્તારમાં પહેલા પણ ગેસ પાઈપલાઈનોને ટાર્ગેટ બનાવવામાં આવી ચુકી છે, જેની જવાબદારી વિવિધ સંગઠનોએ લીધે છે.SS1MS