ભારત વિકાસ પરિષદ -ખેડબ્રહ્માનું દીપાવલી સ્નેહમિલન યોજાયું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તારીખ ૨૦. ૧૧ .૨૦૨૨ ના રોજ ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માનું દિપાવલી સ્નેહમિલન માણેકનાથ આશ્રમ, શ્યામનગર ખાતે સાંજે ૬. ૩૦ કલાકે યોજાયું હતું. શરૂઆતમાં સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ સ્વ. ભરતભાઈને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ ભારતમાતાના ફોટા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ ગાનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી . એ પછી મંત્રી શ્રી સુરેશભાઈ વી. પટેલે ઉપસ્થિત સૌને મહેમાનોને આવકાર આપ્યો હતો.ત્યારબાદ પ્રમુખશ્રી પ્રા. ડો.રોહિત દેસાઈએ સંસ્થા દ્વારા ચાલુ વર્ષે થયેલા કાર્યક્રમો અને થનાર કાર્યક્રમની વિગતે માહિતી આપી હતી .
આ પછી વક્તા શ્રી હાર્દિકભાઇ સગર- ડેપો મેનેજર , ઇડર અને ખેડબ્રહ્માના જાણીતા સમાજસેવક શ્રી રમણભાઈ પટેલે ભારત વિકાસ પરિષદની પ્રવૃત્તિઓ એ સંસ્કારવર્ધક, સંસ્કૃતિવર્ધક અને દિનદુખીયાને મદદ કરનારી ગણાવી જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદની પ્રવૃત્તિઓ એ રાષ્ટ્રીયતાને બળ આપનારી અને ધર્મરક્ષાને લગતી પ્રવૃત્તિઓ છે.એ પછી આદરણીય મનહરદાસજી મહારાજ- માણેકનાથ આશ્રમે આશીર્વચન આપ્યા હતા .આ કાર્યક્રમના ભોજનદાતા એ શ્રી રાજુભાઈ સિધી- અંબિકા સુપર માર્કેટવાળા હતા.
કાર્યક્રમ આયોજનમાં શ્રી હસમુખભાઈ પંચાલ , શ્રી હરેશભાઈ રામી, શ્રી સંજયભાઈ પારેખ, શ્રી શક્તિસિંહ સોલંકી, શ્રી કિરણભાઈ, શ્રી મિલનભાઈ સહિત સૌ મિત્રોનો સક્રિય સહયોગ રહ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરપાલસિંહ ચૌહાણે કર્યું હતું. જ્યારે આભારદર્શન શ્રી વિજયસિંહ રાજપૂતે કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ૧૧૦ સભ્યો જાેડાયા હતા. કાર્યક્રમને અંતે સૌને ભોજન પીરસાઇયુ હતું.