ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી માહિતી આપનાર ઝડપાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવભર્યા માહોલમાં ભરૂચના ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બ થી ઉડાવી દેવાની ખોટી માહિતી આપનાર ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવભર્યા માહોલમાં ચાલી રહ્યો છે.ત્યારે એક ઈસમ દ્વારા ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનથી માહીતી આપેલ કે રાત્રીના એક થી બે વાગ્યાના સમયગાળા દરમ્યાન ચાર વ્યક્તિઓ ઝાડેશ્વર ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદીરને બોમ્બથી ઉડાવી દેવાના છે.જે મળેલ માહીતીના આધારે ર્જીંય્,સી ડીવીઝનના પોલીસ તથા બોમ્બ સ્કોડને બોલાવી અલગ અલગ ટીમો બનાવી સ્વામિનારાયણ મંદીર ખાતે તપાસ હાથ ધારવામાં આવી હતી.
જોકે પોલીસને તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ નહિ મળી આવતા પોલીસે માહીતી આપનાર વ્યક્તિની તપાસ હાથધરી હતી.ખોટી માહિતી આપનાર ઈસમની તપાસ કરતા તે જંબુસર બાયપાસ નજીક આવેલ ન્યુ શાક માર્કેટ પાસેની સફારી પાર્કમાં રહેતા તોસીફ આદમ પટેલ હોવાનું સામે આવ્યું હતું અને જે હાલ રેલ્વે સ્ટેશન પાસે હોવાની હકીકત મળતા પોલીસે તેને ઝડપી પાડયો હતો.
પોલીસે તોસીફ પટેલની પુછપરછ કરતા તેને જણાવેલ કે “મારા બંને ભાઈઓ મને મિલ્કતમાં ભાગ આપતા ન હોય તેમજ તેના બનેવી ખોટી રીતે હેરાન કરતા હોય જેથી તેઓ ઉપર પોલીસ કાર્યવાહી કરવા માટે મેં ભરૂચ કંટ્રોલ રૂમમાં મારા મોબાઈલ ફોનથી રાત્રીના એક થી બે વાગ્યાના સમય ગાળા દરમ્યાન સ્વામિનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરવાના છે.તે પ્રકારની ખોટી માહીતી આપેલ જેથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
હાલમાં ચાલી રહેલા તણાવભર્યા માહોલમાં આ પ્રકારનું કૃત્ય કરવાથી બીજા અન્ય કોઈ વ્યક્તિઓને હાની તથા ત્રાસ થાયઅને લોકોમાં ભય ગભરાટ પેદા થાય તેવી ખોટી માહીતી આપવા સામે પોલીસે કાર્યવાહી કરતા આવા તત્ત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.