Western Times News

Gujarati News

ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશન વધારાનું સ્ટોપેજ અપાયું

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીનેભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારા નું  સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

1.       ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 26 માર્ચ 2025 થી ભુજથી 06.50 કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.18/07.20 કલાકે  અને આદિપુર સ્ટેશન પર  07.29/07.31 કલાકનો રહેશે તથા 13.15 કલાકે રાજકોટ પહોંચશે.

2.       ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 26 માર્ચ 2025થી રાજકોટથી 14.30 કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 19.27/19.29 કલાકે  અને અંજાર સ્ટેશન પર 19.36/19.38 કલાક નો રહેશે તથા 20.55 કલાકે ભુજ પહોંચશે.

ટ્રેનોના સંચાલન સમયસ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટેમુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.