Western Times News

Gujarati News

બિહારમાં કાયદો-વ્યવસ્થા કથળતા ક્રાઈમ કેપિટલ બન્યુંઃ રાહુલ ગાંધી

કેન્દ્ર યોગ્ય રીતે જાતિ આધારે વસ્તી ગણતરી કરશે

અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ૫૦% અનામત મર્યાદા હટાવીશું અને બિહારથી તેનો આરંભ થશે

નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ ધરાવતી એનડીએની સરકાર પર કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને બિહાર દેશનું ક્રાઈમ કેપિટલ બની ગયું છે. નાલંદાના રાજગિર ખાતે સંવિધાન સુરક્ષા સંમેલનને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતાએ ટ્રમ્પ દ્વારા ભારત-પાક. ઘર્ષણને અટકાવવા સિઝફાયર કરાવ્યું હોવાના દાવા સામે પીએમ નરેન્દ્ર મોદીના મૌનની ટીકા પણ કરી હતી.

કોંગ્રેસ પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, બિહાર એક સમયે શાંતિ અને ન્યાયની ભૂમિ ગણાતી હતી પરંતુ હવે તે ગુનાનું પાટનગર બની ગયું છે. દેશમાં યોગ્ય રીતે જાતિ આધારે વસ્તી ગણતરી હાથ ધરાવાના મામલે રાહુલે શંકા વ્યક્ત કરી હતી. તેના મતે મોદી સરકારે દેશમાં ક્યારેય યોગ્ય રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી યોગ્ય રીતે નહીં કરે કારણ કે તેનાથી તેમનું રાજકારણ ખતમ થઈ જશે. આ માટે પ્રશ્નોત્તરી નક્કી કરવા માટે ઓબીસી, દલિત કે આદિવાસી સમુદાયનો એકપણ અધિકારી સામેલ નથી.

જાતિ આધારિત વસ્તી ગણતરીના બે મોડેલ છે- એક ભાજપનું મોડેલ અને બીજું તેલંગાણા મોડેલ. ભાજપના મોડેલમાં અધિકારીઓ બંધ રૂમમાં પ્રશ્નો નક્કી કરશે. પસંદ કરાયેલા અધિકારીઓમાં કોઈપણ ઓબીસી, દલિત કે આદિવાસી અધિકારી સામેલ નથી. તેંલગાણમાં કોંગ્રેસનું શાસન છે. અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ૫૦ ટકા અનામત મર્યાદા હટાવીશું અને બિહારથી તેનો આરંભ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.