સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષવર્ધન નિઓટિયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન. ટ્રસ્ટી શ્રી હર્ષવર્ધન નિઓટિયા સાહેબના જન્મદિને આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજરશ્રી દ્વારા કરવામાં આવેલ.
તેઓશ્રી નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ.આજરોજ સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ટ્રસ્ટ ના અધિકારીશ્રી તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રી સોમનાથ મહાદેવ પાસે તેમના નિરામય અને દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરી હતી. માન.સેક્રેટરી શ્રી તથા સર્વે ટ્રસ્ટીશ્રી ઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી શ્રી હર્ષવર્ધન નિઓટિયા સાહેબને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.