ભાજપ અને આરએસએસ આંબેડકરના દુશ્મન છે: ખડગે

નવી દિલ્હી, આંબેડકર જયંતિ પર કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ મૂક્યો હતો કે, તેઓ ફક્ત બી આર આંબેડકરના વારસાને વાચા આપે છે પરંતુ તેમની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે કંઈ કરતા નથી.
કોંગ્રેસે એવો પણ દાવો કર્યાે હતો કે ભાજપ-આરએસએસ બંધારણ ઘડવૈયાઓના દુશ્મન છે.આંબેડકર સાથે કોંગ્રેસના વર્તનની ટીકા કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ૧૯૫૨માં આંબેડકર દ્વારા લખાયેલા એક પત્રનો ઉલ્લેખ કર્યાે હતો, જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં પોતાની હાર માટે એસ.એ. ડાંગે અને વી.ડી. સાવરકરને જવાબદાર ઠેરવ્યા હતા.
આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ પર ખડગેએ દાવો કર્યાે હતો કે મોદી સરકાર આંબેડકરનું નામ લે છે પણ તેમની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ પૂર્ણ કરવા તૈયાર નથી.
તેમણે આરોપ લગાવ્યો કે દલિતોના રક્ષણ માટે બંધારણમાં ઘણા અનુચ્છેદ છે, ઘણા કાયદા પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેનું પાલન થઈ રહ્યું નથી. એટલું જ નહીં, ખડગેએ રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી, એસટી, અને ઓબીસી માટે અનામતના અમલીકરણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.SS1MS