Western Times News

Gujarati News

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રકતદાન શિબિર યોજાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) તા. ૨૩/૦૭/૨૦૨૩ ના રોજ દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મિશનના અને દાહોદ શહેર તેમજ દાહોદની આજુબાજુના ગામના અનેક નાગરિકોએ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું.

જેમાં ૩૦૦થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ની ટીમ ઉપસ્થિત રહી હતી. આ રકતદાન શિબિર મા જેટલા રક્તદાતાઓ એ રકતદાન કર્યું તેમને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દરેકને એક એક વૃક્ષનું છોડ આપવામાં આવ્યું પર્યાવરણને બચાવવા માટે એક નવી પહેલ કરવામાં આવી.

આ શિબિરનું ઉદ્દઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. સાથે સાથે દાહોદ શહેરના એસ. પી. સાહેબ શ્રી જગદીશભાઈ પાંગળવાજી પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રી એ રક્તદાન શિબિર માં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનું પ્રોત્સાહન વધારી

અને જન કલ્યાણ ને સમર્પિત તેમની નિસ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી. આવેલ તમામ રક્તદાતા તથા આવેલ અતિથિ અને ડોકટરોની સાથે આવેલ એમની ટીમની હૃદયપૂર્વક બધાનું આભાર પ્રગટ કર્યું. એમને જણાવ્યું કે, સંત નિરંકારી મિશનમાં અત્યાર સુધી આશરે ૭,૪૦૦ થી વધુ શિબિરો અને લગભગ ૧૨,૫૦,૦૦૦ થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.