Western Times News

Gujarati News

બોરસદ: યુટર્ન લેતી એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત

બોરસદ, બોરસદ શહેરમાં આજે પુરપાટ ઝડપે જતી એક એસટી બસના ચાલકે યુ ટર્ન મારતા બાઈક ચાલક અને ઈકો કાર અડફેટે આવી જવા પામી હતી જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત થયુ હતુ જ્યારે કારના આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતુ.

આ અંગે પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢબારીયા ખાતે રહેતો ઈમ્તીયાઝ અબ્દુલસમદ પઠાણ આજે સવારના સુમારે એશટી બસ નંબર જીજે-૧૮, ઝેડ-૫૮૮ની લઈને બોરસદ એસટી ડેપોમાંથી નીકળી આણંદ તરફ આવવા નીકળ્યો હતો.

દરમ્યાન આણંદ ચોકડી વચ્ચે આવેલા સત્યનારાયણ આઈસ્ક્રીમ નજીક એકદમ યુ ટર્ન મારતા એક બાઈક નંબર જીજે-૩, ડીઈ-૦૦૦૪નું અડફેટે આવી જવા પામ્યું હતુ. જેથી બાઈક ચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત થતાં સ્ટેરીંગ પરનો કાબુ જતો રહેતા બસ ત્યારબાદ ઈકો કાર નંબર જીજે-૩, સીબી-૯૩૬૬ની સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં બાઈકના ચાલકને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.જેથી તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને ઘવાયેલા યુવાનને તપાસીને મૃત્યુ પામેલો હોવાનું જાહેર કર્યું હતુ. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક બાઈક ચાલક વાંસકુવા ગામની સીમમાં રહેતો દિપકકુમાર રાજેશભાઈ પરમાર (ઉ. વ. ૧૭)નો હોવાનું જાણવા મળ્યું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.