Western Times News

Gujarati News

બોરસદ ડેપો ખાતે ફરજ બજાવતા તથા એસ.ટી વર્ક્સ ફેડરેશન યુનિયનના હોદ્દેદારનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો

નડીયાદ એસ.ટી વિભાગ ના બોરસદ ડેપો ખાતે ફરજ બજાવતા પ્રમાણિક અને જાંબાઝ કર્મચારી અને એસ. ટી વર્કસ ફેડરેશન યુનિયન ના હોદ્દેદાર આરીફ જી. વહોરા (એ.ટી.એસ) ની તા :- ૩૧-૦૫-૨૦૨૫ના રોજ વય નિવૃત્તિ થતા તા :- ૦૨-૦૬-૨૦૨૫ ના રોજ એસ.ટી વર્ક્સ ફેડરેશન યુનિયન પ્રમુખ ઇન્દ્રજીત સિંહ પી. જાડેજા ના અધ્યક્ષ સ્થાને એસ.ટી વર્ક્સ શોપ ખાતે વયનિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિવૃત્ત થવુ એ વહીવટી પરંપરા છે

પરંતુ નિવૃત્ત સમયે માન સન્માન અલંકૃત થવું એ સહભાગ્ય છે.ત્યારે વાત કરીએ તો લોક ચર્ચા મુજબ નોકરીમાં નિવૃત્તિની વયમર્યાદા પ્રથમ વાર સૈન્યમાં લાગુ કરાઈ હતી. જર્મન નેતા બિસ્માર્કને એવો અનુભવ થયો કે દુશ્મનોના લગભગ દરેક કાબેલ જનરલની ઉંમર ૬૫ વર્ષથી વધારે હતી.

ઇ.સ ૧૮૭૦ માં એણે સૈન્યમાં ૬૫ વર્ષની ઉંમર ફરજિયાત નિવૃત્તિની નીતિ અપનાવી. આ નીતિ યુરોપ અને અમેરિકામાં સ્વીકારાઈ ગઈ અને સમય જતાં વિશ્વભરમાં દરેક સરકારી કર્મચારી માટે નિવૃત્તિની વય નક્કી કરાઈ. સરકારી વ્યવસ્થા જે પણ હોય, પોતાના જીવનની પ્રવૃત્તિમાંથી ક્યારે નિવૃત્ત થવું તે દરેકનો વ્યક્તિગત પ્રશ્ન છે.

વ્યંગ લેખક માર્ક ટ્વેઇન પોતાના અંદાજમાં કહે છે, જો મારું કામ ન અટકતું હોય તો મને નિવૃત્ત થવામાં કોઈ જ વાંધો નથી. જો શરીર સ્વસ્થ હોય તો નિષ્ક્રિય નથી રહી શકાતું. જેણે જીવનભર કામ કર્યું હોય તે કામ વિના અગવડતા અનુભવે છે. નિવૃત્તિનો અર્થ એ નથી કે પ્રવૃત્તિનો અંત આવી જાય, માત્ર એની દિશા બદલાઈ જાય છે.

ત્યારે  આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ સોલંકી (માન. નાયબ મુખ્ય દંડકશ્રી, ગુજરાત વિધાનસભા તથા માન. ધારાસભ્ય, બોરસદ), જયંતિ ભાઈ સી. પટેલ (મહામંત્રી, એસ.ટી.વર્ક્સ ફેડરેશન અમદાવાદ), શ્રી સી.ડી.મહાજન (વિભાગીય નિયામક શ્રી, એસ.ટી.નડીયાદ),

શ્રી અતુલ જે. સોલંકી (વિભાગીય નિયામક શ્રી, અમરેલી), તથા અતિથિ વિશેષમાં શ્રી એસ.વી. ચૌહાણ (ડી.એમ.ઈ. વિભાગીય યંત્રાલય, નડીઆદ),  શ્રી આઈ. જે. નાથી  (ડી.ટી.ઓ. શ્રી નડીઆદ) શ્રી એચ.બી. તલાટી (સીની. લેબર ઓફિસર, વહીવટી અધિકારી, નડીઆદ), શ્રી એમ. એસ.સૈયદ (એકાઉન્ટ ઓફિસર, નડીઆદ),  કુ. એસ. એ. પાન્ડે (સીની. ડેપો મેનેજર, બોરસદ ),  શ્રી કે. કે. પરમાર (સીની.ડેપો મેનેજર, નડીઆદ)

શ્રી કે. એમ. શ્રીમાળી (સીની. ડેપો મેનેજર, આણંદ), શ્રી કે. કે. ચાવડા (સુરક્ષા અધિકારી શ્રી, નડીઆદ) શ્રી જ્યોતિન્દ્ર વ્યાસ (ખજાનચી, એસ.ટી.વર્ક્સ યુનિયન, અમદાવાદ ) તેમજ આ કાર્યક્રમનું આયોજન શ્રી દિલીપસિંહ પી. ચૌહાણ (જન.સેક્રેટરી નડીયાદ વિભાગ) તથા શ્રી કાન્તિભાઈ એમ.વાઘેલા (કાર્ય. પ્રમુખશ્રી નડીયાદ વિભાગ) તથા મજૂર મહાજન યુનિયનના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.