Western Times News

Gujarati News

BS-૨, BS-૩ વાહનનું રજિસ્ટ્રેશન થઇ શકશે નહીં

Files Photo

અમદાવાદ: વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે. રાજ્યમાં વધતા પ્રદૂષણને જોતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પ્રમાણે હવે બીએસ-૪ વગરના વાહનોની નોંધણી હવેથી નહીં થાય. એટલે સ્વાભાવિક છે કે હાઈકોર્ટે બીએસ-૨, બીએસ-૩ના વાહનોની નોંધણી અમાન્ય ગણવાના અને ફોર વ્હીલરમાં બીએસ-૪ નોર્મ્સ અમલી બનાવતાં આરટીઓ સત્તાધીશો અને આ અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટે યોગ્ય અને વાજબી ગણાવી તેને બહાલ રાખ્યું છે. જેને પગલે બીએસ-૨, બીએસ-૩ના વાહનોનું પણ રિ-રજીસ્ટ્રેશન હવે થશે નહીં.


ગુજરાત હાઈકોર્ટે તા.૧-૪-૨૦૧૦ પહેલાના ઉત્પાદન થયેલા વાહનો અને તેને ટ્રાન્સફર કરવાની અરજદારપક્ષની અરજીઓ આરટીઓ સત્તાવાળાઓ દ્વારા સ્વીકારવામાં આવે તેવી માંગણી પણ હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી. ઓટોમોબાઇલ એસોસીએશન, અમદાવાદ દ્વારા સીંગલ જજના હુકમ સામે કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલમાં તા.૧૬-૬-૨૦૧૦ના સત્તાવાળાઓના પરિપત્રને પડકારવામાં આવ્યો હતો.

કારણ કે, તા.૫-૪-૨૦૧૦ના નિર્ણયથી કેન્દ્ર સરકારે તા.૧-૪-૨૦૧૦ પહેલાના વાહનો માટે ભારત સ્ટેજ-૪ની અમલવારીનો નિર્ણય અમલી બનાવ્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણયને ધ્યાનમાં રાખી અરજદારપક્ષ તરફથી ફોર વ્હીલર વાહનોના ટ્રાન્સફર કરવાનો આરટીઓ સત્તાવાળાઓએ ઇન્કાર કરી દીધો હતો. દરમ્યાન આ અપીલનો વિરોધ કરતાં આરટીઓ સત્તાવાળાઓ તરફથી જણાવાયું હતું કે, બીએસ-૨ અને ૩ વહાનો મારફતે ફેલાતા વાયુ પ્રદૂષ અને નાગરિકોના આરોગ્ય માટે જાખમી ધુમાડા અને પ્રદૂષણને લઇ સત્તાવાળાઓએ ઉપરોકત પરિપત્ર અને નિર્ણય અમલી બનાવ્યો છે.

જે મુજબ, તા.૬-૯-૨૦૦૪ના પરિપત્રથી બીએસ-૩ અને બીએસ-૪નું નોર્મ્સનું પાલન નહી કરતાં અનુક્રમે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના નોંધણી અને ્‌ટ્રાન્સફર પર રોક લગાવી દેવામાં આવી હતી. એટલું જ નહી, તેના રિ રજિસ્ટ્રેશન માટે પણ પાબંદી લગાવી દેવામાં આવી હતી. આ સંજાગોમાં અરજદારપક્ષની અપીલ કોઇપણ સંજાગોમાં ટકી શકે તેમ નથી. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી અરજદારની અપીલ ફગાવી દીધી હતી અને ઠરાવ્યું હતું કે, સ્વચ્છ પર્યાવરણ એ દરેક નાગરિકનો બંધારણમાં બક્ષવામાં આવેલો અધિકાર છે. કેન્દ્ર સરકાર અને આરટીઓ સત્તાવાળાઓ દ્વારા વાયુ પ્રદૂષણની સ્થિતિને  ધ્યાનમાં રાખી જારી કરેલો નિર્ણય યોગ્ય અને વાજબી છે. એટલું જ નહી, સીંગલ જજે પણ આ કેસમાં અગાઉ આપેલો ચુકાદો કાયદાનુસાર અને યોગ્ય હોઇ તેમાં ખંડપીઠની દરમ્યાનગીરી ન્યાયોચિત જણાતી નથી. આ સંજાગોમાં અરજદારપક્ષની અપીલ ફગાવી દેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.