રાજકીય સંકટમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Justin-Trudo-1024x512.webp)
કેનેડા , એનડીપી નેતા જગમીત સિંહે ટ્રૂડો સાથેનો સોદો ૨૦૨૨માં “રદ” થવાની જાહેરાત કરતાં કહ્યું કે તેમની ધીરજ ખૂટી ગઈ છે. જો કે, ટ્›ડોએ પ્રારંભિક ચૂંટણીની ચર્ચાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા કેનેડિયન જનતા માટે સામાજિક કાર્યક્રમોને આગળ વધારવાની છે.
“અમે કેનેડિયનો માટે કામ કરીશું અને આગામી ચૂંટણી સુધીમાં અમારા કાર્યક્રમો પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ,” તેમણે કહ્યું. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોને બુધવાર, ૪ સપ્ટેમ્બરના રોજ મોટો ફટકો પડ્યો હતો જ્યારે તેમની લઘુમતી સરકારને ટેકો આપતી ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી) એ તેમનો ટેકો પાછો ખેંચી લીધો હતો.
આ પગલા પછી ટ્›ડોએ તેમની સરકાર ચલાવવા માટે નવા ગઠબંધનની શોધ કરવી પડશે.એનડીપી નેતા જગમીત સિંહે ટ્›ડો સાથેનો સોદો ૨૦૨૨માં “રદ” થવાની જાહેરાત કરતાં કહ્યું કે તેમની ધીરજ ખૂટી ગઈ છે.
જો કે, ટ્›ડોએ પ્રારંભિક ચૂંટણીની ચર્ચાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા કેનેડિયન જનતા માટે સામાજિક કાર્યક્રમોને આગળ વધારવાની છે.
“અમે કેનેડિયનો માટે કામ કરીશું અને આગામી ચૂંટણી સુધીમાં અમારા કાર્યક્રમો પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ,” તેમણે કહ્યું.આ સમર્થન પાછું ખેંચ્યા પછી, ટ્રૂડો હવે વિરોધ પક્ષો પર નિર્ભર રહેશે, ખાસ કરીને જ્યારે સંસદમાં વિશ્વાસનો મત જરૂરી હોય.
જો હવે ચૂંટણી યોજાય તો તાજેતરના સર્વે મુજબ ટ્›ડોની લિબરલ પાર્ટીને જંગી હારનો સામનો કરવો પડી શકે છે. જો કે, કેનેડામાં આગામી ચૂંટણી ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં થવી જોઈએ.
૨૦૧૫ થી વડા પ્રધાન રહેલા ટ્રૂડોને છેલ્લા કેટલાક વર્ષાેમાં વિરોધ પક્ષો, ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટી, ફુગાવા અને હાઉસિંગ કટોકટીને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. એનડીપીના સમર્થનથી, તેમની સરકારે ઘણા સામાજિક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેમાંથી એક નેશનલ ડેન્ટલ પ્રોગ્રામ છે.
જો કે, જગમીત સિંહે તાજેતરના મહિનાઓમાં ટ્રૂડોના નેતૃત્વ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી છે, ખાસ કરીને ખાદ્યપદાર્થાેની વધતી કિંમતોને લઈને. “જસ્ટિન ટ્રૂડો વારંવાર કોર્પાેરેટ લોભને વશ થયા છે. ઉદારવાદીઓએ જનતા સાથે દગો કર્યાે છે અને તેમને બીજી તક ન મળવી જોઈએ,” સિંઘે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જણાવ્યું હતું.SS1MS