CBIએ મેહુલ ચોક્સી વિરૂદ્ધ દાખલ કરી FIR
નવી દિલ્હી, સીબીઆઈ (CBI)એ સોમવારે હીરાના ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સી અને તેમની કંપની ગીતાંજલિ જેમ્સ વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
હકીકતે ચોક્સી પર એવો આરોપ છે કે, તેમણે વર્ષ 2014-18 દરમિયાન સરકારી કંપની ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (Industrial Finance Corporation of India) સાથે કથિતરૂપે 22 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે CBIએ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્કમ ટેક્સ વિભાગે ગત મહિને PNB કૌભાંડ મામલે મેહુલ ચોક્સી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. ઈન્કમ ટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, તેમના વિભાગે નાસિકમાં 9 એકર કૃષિ જમીન પોતાના કબજામાં લીધી હતી.