માત્ર ૩ હજારમાં પાકિસ્તાનના હાથે CRPF જવાન વેચાઈ ગયો

જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયેલા સીઆરપીએફ જવાને પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે
નવી દિલ્હી, NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) એ CRPF જવાનની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ઝ્રઇઁહ્લ જવાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તે ભૂલથી ફસાઈ ગયો હતો અને તેમાંથી બહાર આવી શક્્યો ન હતો. આરોપ છે કે, જવાન મોતી રામ જાટે ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલી હતી. આ માટે મોતી રામને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. CRPF ASI Moti Ram Jat was posted in Pahalgam area. During internal monitoring, CRPF found Rs 3,000 remitted to his a/c per month from a foreign account.
જાસૂસીના આરોપી જવાનને ઝ્રઇઁહ્લ દ્વારા બરતરફ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, NIA અધિકારીઓએ જવાનની પૂછપરછ કરી છે. મોતી રામની પૂછપરછ પર એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તેના ફોનમાંથી પાકિસ્તાની હેન્ડલર્સની ચેટ મળી આવી છે. તેણે ચેટ ડિલીટ કરી નથી.
NIA હવે તપાસ કરશે કે, તેણે કંઈ ડિલીટ કર્યું છે કે, નહીં. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને તે પસ્તાવો પણ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, તે પાકિસ્તાની હેન્ડલરોની જાળમાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્્યો નહીં.”
રિપોર્ટ મુજબ, મોતી રામ ૨૦૨૩ થી પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યો હતો. તેને પાકિસ્તાની ગુપ્તચર પાસેથી પણ ભંડોળ મળ્યું છે. મોતી રામના ફોન તેમજ બેંક ખાતામાંથી ચેટમાંથી એક મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દર મહિને તેના ખાતામાં ૩૦૦૦ રૂપિયા આવતા હતા અને આ રકમ વિદેશી ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કારણે શંકા વધુ ઘેરી બની હતી.
આરોપી જવાન સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટ સાથે વાત કરતો હતો. મહત્વની વાત એ છે કે, પાકિસ્તાની એજન્ટ મહિલા બનીને તેની સાથે વાત કરતો હતો. તેણે પહેલા મોતી રામને ફસાવ્યો હતો. વાતચીત દ્વારા અને પછી તેને જાસૂસી કરવા માટે મનાવી લીધો હતો. જણાવી દઈએ કે, દ્ગૈંછ ટીમ હજુ પણ પૂછપરછ કરી રહી છે.