સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

હિંમતનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રવિવારે રાત્રે આવેલા વાવાઝોડા બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વ્યાપક અસર જોવા મળી હતી.
સાબરકાંઠાના વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં જોરદાર આંધી સાથે ધૂળની ડમરીઓ ઉડવા માંડી હતી. જેના કારણે ઠેરઠેર વીજપોલ ધરાશયી થતાં વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. અસહ્ય ઉકળટા અને બાફ વચ્ચે આખી રાત ઘરોમાં રાત વિતાવી હતી.
વાવાઝોડા બાદ હિંમતનગર સહિત અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. અચાનક શરૂ થયેલા વાવાઝોડાને કારણે અનેક ઠેકાણે લગભગ ૨૦૦થી વધુ વીજપોલ પડી ગયા હતા.
જ્યારે પ્રાંતિજ તાલુકાના વદરાડ, પોગલુ, પલ્લાચર, રાસલોડ, પ્રાંતિજ સહિતના ગામડાઓમાં વાવાઝોડાને કારણે લગભગ ૫૦થી વધુ કાચા પાકા મકાનોનાં પતરાં ઉડી ગયા હોવાનું આધારભુત સૂત્રોમાંથી જણાવાયું છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં રવિવારે રાત્રે આવેલા વાવાઝોડા બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વ્યાપક અસર જોવા મળી હતી.
ભિલોડાના લીલછા ધોલવાણી રોડ પર વ્યાપક પ્રમાણે વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે લીલછામાં વૃક્ષ પડતાં ગાયનું મોત થયું હતું. સાકરીયા ગામ સહિત સાકરીયા છાપરા તેમજ સોરાના છાપરા વિસ્તારમાં અનેક છાપરા ઉડ્યા હતા.
સાથે સાથે ઘણા વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જ્યારે ભારે પવનને કારણે પશુઓને બાંધવા શેડના પતરાં ૧૦ ફૂટ સુધી ઉડીને પડ્યા હતા. કિશનગઢ ગામે એક મકાનની દીવાલ પડવાની સાથે પતરા પણ ઉડ્યા હતા. મોડાસાના સાકરીયા ગામ સહિત સાકરીયા છાપરા તેમજ સોરાના છાપરા વિસ્તારમાં અનેક છાપરા ઉડ્યા હતા.SS1MS