દાહોદ નજીક ટ્રક અને મીની લકઝરી વચ્ચે ટક્કરઃ ૧ર ભક્તો ઈજાગ્રસ્ત

(પ્રતિનિધિ) દાહોદ, દાહોદ જિલ્લાના રામપુરા હાઈવે નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક અને મીનીલશ્કરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માત ખંભાત થી ઓમકારેશ્વર અને ત્યારબાદ અયોધ્યા તરફ જઈ રહેલા ધાર્મિક પ્રવાસ પર નીકળેલા ભક્તો સાથે થયો હતો.
મળી રહેલી માહિતી મુજબ, મીનીલશ્કરી આગળ જતી ટ્રક સાથે પાછળથી ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ૧૨ જેટલા ભક્તો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી.
મીનીલશ્કરીને અકસ્માત માં ભારે નુકસાન થયું છે. પ્રારંભિક તપાસ મુજબ અકસ્માતનો મુખ્ય કારણ વાહનની અચાનક બ્રેક ન લાગવું હોવાનું માનવામાં આવી રહ્યું છે.આધ્યાત્મિક યાત્રા પર નીકળેલા ભક્તો માટે આ ઘટના દુઃખદ સાબિત થઈ છે. વધુ તપાસ અને ઘાયલોની હાલત અંગે માહિતી મેળવવાનો પોલીસ દ્વારા પ્રયાસ ચાલી રહ્યો છે.